SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કર્યું. એમ કરવાથી તે પરી મદિરાથી ભરાઈ ગઈ. તેમાંથી અધ મદિરા પી તેણે પુનઃ ભૈરવનું ધ્યાન કર્યું, તેથી ભૈરવ તેની સંમુખ પ્રકટ થયા, એટલે કકચે તેમને આ પ્રમાણે વિનતિ કરી:– “હે દેવ ! આપના ભકતને દ્વેષ કરનાર આ શંકરાચાર્યને આ સુરત નાશ કરે.” તેનાં આવાં અયોગ્ય વચનો સાંભળી કેપયુક્ત થયેલા ભૈરવે “ તું મારા સ્વરૂપભૂત શંકરાચાર્યનો વિનાકારણ શામાટે દ્વેષ કરે છે ?” એમ કહી તેના અપરાધની તેને શિક્ષા કરવા માટે પિતે તેનું માથું કાપી નાખ્યું. વિવેકી બ્રાહ્મણે આદિ આ વાત જોઈ તથા સાંભળી પ્રસન્ન થયા. આચાર્યભગવાન લોકોના હિત માટે તેમને વેદના શુદ્ધ પ્રવૃત્તિ- - માર્ગને તથા નિવૃત્તિમાર્ગને સમજાવતા સમજાવતા, પાખંડમતનું નિરાકરણ કરતા કરતા, ને વિવેકી જનેને અભેદવાદનું માવાસ્ય સમજાવી તેમાં સુસ્થિર કરતા કરતા, ગોકર્ણમાં પધાર્યા. તે સ્થલમાં એક નીલકંઠનામનો શિવોપાસક ભેદવાદી વિદ્વાન રહેતે હતો તેને તેના હરદત્તનામના શિષ્ય નીચે પ્રમાણે કહ્યું -- મહારાજ ! પ્રસિદ્ધ પંડિત મંડનમિશ્રને જીતનાર શંકરાચાય આપને પરાજય કરવા પિતાના શિષ્યો સહિત અહિં આવ્યા છે, ને અહિંના શિવાલયમાં ઊર્યા છે.” આ સમાચાર સાંભળી વિદ્યાના મદથી છકી ગયેલે તે નીલકંઠ પિતાના મુખ્ય શિષ્યોને સાથે લઈ આચાર્યભગવાનને પરાજય કરવાની ઇચ્છાથી તેઓશ્રીની સમીપ આવ્યો. આચાર્ય ભગવાનની તેના આવવાના માર્ગભણી અનાયાસે દષ્ટિ જતાં તેને દૂરથી આવતાં તેઓશ્રીએ જેતે નીલકંઠે વિધાના મદને લીધે આચાર્યભગવાનની સમીપ આવી તેઓશ્રીને નમન નહિ કરતાં, તથા વિવેકના કાંઈ પણ શબ્દો નહિ બોલતાં, પિતાના મતનું ખંડન કરવાની જ પ્રવૃત્તિ કરી. તેની આવી
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy