________________
૪૬૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ઘટાદિ ઉત્પન્ન થયા પછી ] વિનાશ જે છે, [ તેમ ] બુદ્ધિરૂપ ઉપાધિના સંબંધથી આત્મામાં કલ્પાયેલું જીવપણું [ અનાદિ છતાં પણ નાશવાળું છે. તે જીવ ] તેનાથી (તે આત્માથી ) ભિન્ન નથી, અને સ્વરૂપવડે વિલક્ષણ [ પણ નથી, કેમકે કલિપત અધિષ્ઠાનરૂપજ હોય છે. ] પોતાના આત્માને બુદ્ધિની સાથે સંબંધ મિથ્યાજ્ઞાનપૂર્વક [ છે, ને! તેની અત્યંત નિવૃત્તિ [આત્માના ] યથાર્થ જ્ઞાનવડે થાય છે, અન્યથા (કર્મ ને ઉપાસનાથી) [ તેની નિવૃત્તિ થતી ] નથી. બ્રહ્મ અને આત્માના એકપણાને અનુભવ યથાર્થ જ્ઞાન [છે, એમ ] ઉપનિષદને અભિપ્રાય છે. ૨૦૦-૨૦૨. . આવું જ્ઞાન વિવેકવડે પ્રાપ્ત થાય છે એમ કહે છે – तदात्मानात्मनोः सम्यग्विवेनैव सिद्धयति । ततो विवेकः कर्तव्यः प्रत्यगात्मसदात्मनोः ॥ २०३ ॥ તે [ યથાર્થ જ્ઞાન ] આત્મા ને [અવિદ્યાદિ જડને યથાર્થ વિવેકવડેજ સિદ્ધ થાય છે, તેથી [ મુમુક્ષુએ ] અંતરાત્મા ને બ્રહ્મસ્વરૂપને [ ઉપાધિના ત્યાગવડે ) વિવેક કરે. જોઈએ. ૨૦૩.
તે વિવેકનું ફલ દૃષ્ટાંત આપીને સમજાવે છે – जलं पङ्कवदत्यन्तं पङ्कापाये जलं स्फुटम् । यथा भाति तथाऽऽत्नापि दोषाभावे स्फुटप्रभः ॥२०॥
જેમ [ જે ] જલ કાદવવાળું [ હેય તે ] જલ [ નિર્મલી ફલ આદિવડે ] કાદવ દૂર થવાથી અત્યંત નિર્મલ