________________
શ્રીવિવેકચૂડામણિ.
४९७ અવિદ્યાનું અને તેના ] કાર્યનું (બુદ્ધિનું ) પણ અનાદિપણું સ્વીકારાય છે, પણ વિદ્યા ( આત્માનું યથાર્થ જ્ઞાન ) ઉત્પન્ન થવાથી અનાદિ અવિદ્યાનું સર્વ કાર્ય પણું જાગ્રતમાં સ્વયનની પેઠે [ અવિદ્યારૂપ ] મૂલસહિત વિનાશ પામે છે. અનાદિ છતાં પણ આ ( અવિદ્યા ને તેનું કાર્ય) પ્રાગભાવની પેઠે નિત્ય નથી, [ આ વાત ] સ્પષ્ટ [છે.]
પ્રાગભાવની પેઠે–તૈયાયિકે પ્રાગભાવને ( ઉત્પત્તિની પૂર્વે કાર્યના કારણમાં રહેલા અભાવને ) અનાદિ માને છે, અને કાર્ય ઉત્પન્ન થાય ત્યારે તેને નાશ માને છે, અર્થાત તેઓ જેમ પ્રાગભાવને અનાદિ માન્યા છતાં પણ અનંત માનતા નથી, પણ નાશવાળે માને છે, તેમ અવિધા ને અવિદ્યાનું કાર્ય અનાદિ છતાં પણ જ્યારે જ્ઞાનને લાભ થાય ત્યારે તેનો નાશ થાય છે એમ અમે માનીએ છીએ. ૧૮૮-૧૯.. - ઉપર કહેલા અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે – • अनादेरपि विध्वंस: प्रागभावस्य वीक्षित:। यद्बुद्धयुपाधिसम्बन्धात्परिकल्पितमात्मनि ॥ २० ॥ जीवत्वं न ततोऽन्यस्तु स्वरूपेण विलक्षणः ।
શ્વેશ્વઃ સ્વામિ યુદ્ધયા નિશાનપુર:ણ : ૨૦ विनिवृत्तिर्भवेत्तस्य सम्यग्ज्ञानेन नान्यथा। ब्रह्मात्मैकत्वविज्ञानं सम्यग्ज्ञानं श्रुतेर्भतम् ॥ २०२ ॥ જેમ અનાદિ પ્રાગભાવને પણ માટી આદિમાંથી