________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આ મનજ અવિદ્યા છે એમ પુનઃ જણાવે છે -- अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः। . येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥१८०
[ મન સંસારનું કારણ છે, તથા મનવિના એકલી અવિઘા જીવને બંધન કરી શકતી નથી, ] આથી [ મનના યથાર્થ ] સ્વરૂપને જાણનારા વિવેકીએ મનને અવિદ્યા કહે છે. જેમ વાયુવડે વાદળાંને સમૂહ [ભમાવાય છે, તેમ] જે [મન]વડેજ [મનુષ્યાદિ સર્વ] જગત્ [ ઉપરનીચે] ભમાવાય છે. ૧૮૦.
જે મુક્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય તે આ મનને પવિત્ર કરવું જોઈએ એમ કહે છે
तन्मनः शोधनं कार्य प्रयत्नेन मुमुक्षुणा ।
विशुद्ध सति चैतस्मिन्मुक्तिः करफलायते ॥११॥ * મુમુક્ષુઓ [ વિવેકવૈરાગ્યાદિની પ્રાપ્તિ કરવારૂપ ] પ્રયત્નવડે તે મનને પવિત્ર ( રાગદ્વેષરહિત) કરવું જોઈએ, કેમકે આ [મન] અતિ પવિત્ર થવાથી મુક્તિ હાથમાં રાખેલા [ બીલીના ] ફલજેવી [ સ્પષ્ટ પ્રતીત ] થાય છે. ૧૮૧.
રજોગુણને દૂર કર્યા વિના મનની પવિત્રતા થઈ શકે નહિ, માટે તે રજોગુણ મુમુક્ષુ કેવી રીતે દૂર કરી શકે તે કહે છે:--- मोक्षकसक्त्या विषयेषु राग, निर्मूल्प संन्यस्य च सर्वकर्म । सच्ट्रद्धया यः श्रवणादिनिष्ठो, रजःस्वभावं स धुनोति बुझेः॥१२८॥