SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આ મનજ અવિદ્યા છે એમ પુનઃ જણાવે છે -- अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः। . येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥१८० [ મન સંસારનું કારણ છે, તથા મનવિના એકલી અવિઘા જીવને બંધન કરી શકતી નથી, ] આથી [ મનના યથાર્થ ] સ્વરૂપને જાણનારા વિવેકીએ મનને અવિદ્યા કહે છે. જેમ વાયુવડે વાદળાંને સમૂહ [ભમાવાય છે, તેમ] જે [મન]વડેજ [મનુષ્યાદિ સર્વ] જગત્ [ ઉપરનીચે] ભમાવાય છે. ૧૮૦. જે મુક્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય તે આ મનને પવિત્ર કરવું જોઈએ એમ કહે છે तन्मनः शोधनं कार्य प्रयत्नेन मुमुक्षुणा । विशुद्ध सति चैतस्मिन्मुक्तिः करफलायते ॥११॥ * મુમુક્ષુઓ [ વિવેકવૈરાગ્યાદિની પ્રાપ્તિ કરવારૂપ ] પ્રયત્નવડે તે મનને પવિત્ર ( રાગદ્વેષરહિત) કરવું જોઈએ, કેમકે આ [મન] અતિ પવિત્ર થવાથી મુક્તિ હાથમાં રાખેલા [ બીલીના ] ફલજેવી [ સ્પષ્ટ પ્રતીત ] થાય છે. ૧૮૧. રજોગુણને દૂર કર્યા વિના મનની પવિત્રતા થઈ શકે નહિ, માટે તે રજોગુણ મુમુક્ષુ કેવી રીતે દૂર કરી શકે તે કહે છે:--- मोक्षकसक्त्या विषयेषु राग, निर्मूल्प संन्यस्य च सर्वकर्म । सच्ट्रद्धया यः श्रवणादिनिष्ठो, रजःस्वभावं स धुनोति बुझेः॥१२८॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy