________________
કર નકામે છે. આગળ એકવાર તમે એ ટેકાના પાંચ પાદે મારા, આગળ વાંચી દેખાડવ્યા હતા, તે મારા સ્મરણમાં છે, તેથી હું તે લખાવું છું તે તમે લખી લો, ને શાંત થાઓ.” એમ કહી-પાપાદને ટીકાને તેટલે ભાગ લખાવી પ્રસન્ન કર્યા.
ઉપરની વાર્તા કેરલદેશના રાજા રાજશેખરના જાણવામાં આવતાં તેમણે આગળ આચાર્યભગવાનને પોતાનાં રચેલાં જે ત્રણ નાટકો વાંચી સંભળાવ્યાં હતાં તે કોઈ કારણથી બળી જવાથી તેમને આચાર્યભગવાનની પાસેથી આ નાટક સાંભળીને પુનઃ લખી લેવાની પછી પ્રકટી. તે આચાર્ય ભગવાનની પાસે આવ્યા. તેમણે આચાર્ય ભગવાનને માન ને વિનયપૂર્વક ભેટ નિવેદન કરી સાષ્ટાંગ દંડવત્રણમ. કર્યા. આચાર્યભગવાને તેમને કુશલપ્રશ્ન પૂછ્યું. તેનું ઉત્તર દીધા પછી તે રાજાએ આચાર્યભગવાનને વિનતિ કરી કે –“પ્રભો ! મે આગળ આપશ્રીને મારાં રચેલાં જે ત્રણ નાટકે વાંચી સંભળાવ્યાં હતાં તે નાટકે બળી ગયાં છે. મારી તે કૃતિનો આવી રીતે નાશ થવાથી મારા મનમાં વારંવાર શેક થયા કરે છે, માટે આપશ્રી આપશ્રીની અદ્દભુત સ્મરણશક્તિવડે તે નાટકો મને લખાવવાની કૃપા. કરે તે મારા ઉપર મોટો ઉપકાર થશે.” તે રાજાની આ પ્રાર્થના સાંભળી આચાર્યભગવાને તેમનાં ત્રણે નાટકે પિતાની અદ્દભુત સ્મરણશક્તિ વડે લખાવી દીધાં. તેથી તે રાજા બહુ પ્રસન્ન થયા, ને આચાર્યભગવાનને પ્રાર્થના કરી કે –“હે સ્વામિન ! મારા જેવી કોઇ સેવા હોય તે આપશ્રી મને તે સેવા કરવાની કૃપા કરીને આશા, કરશે.” તેમની તે પ્રાર્થના સાંભળી આચાર્યભગવાને તેમને જણાવ્યું કે-“કાલટીના નબુરી બ્રાહ્મણોને તેમના અયોગ્ય વર્તનથી વેદાધ્યયન માટે અનધિકારી ઠરાવેલા છે, માટે તમારે તે પ્રમાણે વ્યવસ્થા રાખવી. પછી તે રાજાએ ત્યાં તે પ્રમાણે વ્યવસ્થા રાખવાનું સ્વીકારી આચાર્યભગ