________________
૪૫૩
શ્રીવિવેકપૂડામણિ. તેને મોક્ષની વાત પણ નથી, [તે મેક્ષ તે કયાંથી જ થઈ શકે ? ન જ થઈ શકે.] ૧૬૨. | માટે તારે પણ આ સ્થૂલશરીરમાં હુંપણાની બુદ્ધિ ન રાખવી એમ તે શિષ્યને કહે છે – छायाशरीरे प्रतिबिम्बंगात्रे, यत्स्वप्नदेहे हृदि कल्पिता । यथात्मबुद्धिस्तव नास्ति काचिजीवच्छरीरे च तथैव माऽस्तु।
જેમ સ્કૂલશરીરના પડછાયામાં, [ જલાદિમાં] પ્રતિબિંબિત શરીરમાં, સ્વપ્નના શરીરમાં, અને [ મને રાજ્યવડે] મનમાં કપેલા શરીરમાં તને કાંઈ પણ (ગણરૂપે પણ ) આત્માની બુદ્ધિ નથી, તેમજ [ આ ] જીવતા સ્કૂલશરીરમાં પણ [ તને આત્માની બુદ્ધિ ] ન હે. ૧૬૩. *
સ્થૂલશરીરમાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કરવાથી થનારું ફલ કહે છેઃदेहात्मधीरेव नृणामसद्धियां, जन्मादिदुःखप्रभवस्य बीजम् । पतस्ततस्त्वं जहि तां प्रयत्नात्त्यक्ते तु चित्ते न पुनर्भवाशा॥
જેથી આત્માથી વિમુખ બુદ્ધિવાળા મનુષ્યને સ્કૂલશરીરમાં આત્માની બુદ્ધિજ જન્માદિ દુઃખની ઉત્પત્તિનું બીજ [ છે, ] તેથી તેને તું પ્રયત્નથી ત્યાગ કર. ચિત્તમાંથી [ દેહાભિમાન ] ત્યજવાથી [ તને ] પુનઃ સંસારને સંભવ નથી. ૧૬૪.
હવે પ્રાણમયકેશનું નિરૂપણ કરે છે -