________________
૪૪૮
\L
"
, L૦S
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રતીતિ નહિ થવાના કારણને દષ્ટાંતવડે સમજાવે છે:--
कोशैरनमयाद्यैः पञ्चभिरात्मा न संवृतो भाति । निजशक्तिसमुत्पन्नः शैवालपटलैरिवाम्बु वापिस्थम् ॥१४९॥
જેમ [ જલને આશરે રહેલી મલિનતામાંથી ઉપજેલી ] લીલના સમૂહવડે વાવમાં ૨.૯ [નિર્મલ] લજ [ પ્રતીત થતું નથી, તેમ] પિતાની ( આત્માની) [ અવિઘારૂપ] શાક્તમાંથી ઉપજેલા અન્નમયાદિ પાંચ કેશવડે ઢંકાયેલે આત્મા [ ચિદાનંદરૂપે] પ્રતીત થતો નથી. ૧૪૯.
જલની ઉપરની લીલને દૂર કરવાથી જેમ જલની પ્રતીતિ થાય છે, તેમ કોશેને દૂર કરવાથી આત્માની પ્રતીતિ થાય છે એમ કહે છેतच्छैवालापनये सम्यक सलिलं प्रतीयते शुद्धम् । तृष्णासंतापहरं सद्यः सौख्यप्रदं परं पुंसः ॥ १५० ॥ पश्चानामपि कोशानामपवादे विभात्ययं शुद्धः । नित्यानंदैकरसः प्रत्यग्रूपः परं स्वयंज्योतिः ॥ १५१ ॥
[નિર્મલ જલને ઢાંકનારી ] તે લીલને દૂર કરવાથી નિર્મલ, તરસ તથા તાપને મટાડનારું,[અને] તુરત (પીતાંજ ) આનંદ આપનારું, ઉત્તમ જલ પુરુષને સ્પષ્ટ પ્રતીત થાય છે. ૧૫૦.
[ આત્માને ઢાકનાર અન્નમયાદિ] પાંચ કોશેને અપવાદ કરવાથી આ [ અવિદ્યારૂપ] મલિનતાથી રહિત, અવિનાશી, આનંદરૂપ, એકરસ, સર્વેની અંતર રહેલ, [ અવિઘાથી ] પર, [અને] સ્વયંપ્રકાશરૂપ [આત્મા જ્ઞાનીઓને]પ્રતીત થાય છે. ૧૫૧.