________________
શ્રીવિલેડામણિ. સત્ તથા અસત્ એવા] ઉમિયરૂપવાળી [પણ]નથી. [આત્મા એક અદ્વિતીયરૂપ હોવાથી તે આત્માથી] ભિન્ન પણ નથી, [અગ્નિની દાહકશક્તિ જેમ અગ્નિથી અભિન્ન નથી, તેમ આ માયા આત્માની શકિત હોવાથી આત્માથી] અભિન્ન પણ [ નથી, અને ભેદ તથા અભેદ પરસ્પર વિરોધવાળા હોવાથી તે ભિન્નઅભિન્નરૂ૫] ઉભયરૂપવાળી [ પણ નથી. વળી તેના અવયવોનું શાસ્ત્રમાં નિરૂપણ ન હોવાથી તે] સાવયવ પણ નથી, [સત્ત્વ, રજસ ને તમસ આ ત્રણ ગુણની સામ્યવસ્થા રૂપ હેવાથી તે] નિરવયવ પણ નથી, અને સાવયવ તથા નિરવયવને પરસ્પર વિરોધ હોવાથી તે સાવયવ તથા નિરવયવરૂપ] ઉભયરૂપવાળી [પણ નથી, પણ તે] મહા અદ્દભુત [] અનિર્વચનીયરૂપવાળી [ ] ૧૦૯.
પુનઃ પણ તે માયાના સ્વરૂપનું વર્ણન કરે છે – शुद्धादय ब्रह्मविबोधनाश्या. सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमःसत्वमिति प्रसिद्धा, गुणास्तदीयाः प्रथितैः स्वकार्यैः।
જેમ દેરડીના જ્ઞાનથી સર્પની ભ્રાંતિ [નાશ પામે છે, તેમ માયા ને માયાનાં કાર્યોરૂ૫] મલથી રહિત ને અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનવડે [તે માયા] નાશ પામનારી છે, તેથી તે સપ નથી.] સત્વ, રજસૂ ને તમન્ આ તેના પ્રસિદ્ધ ગુણે [ છે ને તે સુખ, દુઃખ ને મેહરૂ૫] પિતાનાં કાર્યો વડે પ્રસિદ્ધ [છે, તેથી માયા નિરવયવ પણ નથી.] ૧૧૦.
હવે માયાના રજોગુણનાં કાર્યો દેખાડે છે