________________
૪૨૫
શ્રીવિવેકચૂડામણિ. મોક્ષની ઈચ્છાવાળાને સ્થૂલશરીરાદિમાં [આત્માની] બ્રાંતિજ મેટા મોતરૂપ [છે.] જેણે આ બ્રાંતિની અત્યંતનિવૃત્તિ કરી તે [પુરુષ બ્રહ્મસ્વરૂપને પ્રિાપ્ત કરવાને સમર્થે થાય છે. ૮૫. દેહાદિમાં અહંતા મમતારૂપ મોહ ત્યજવાને ઉપદેશ કરે છે –
मोहं जहि महामृत्युं देहदारासुतादिषु ।। यं जित्वा मुनयो यान्ति तद्विष्णोः परमं पदम् ॥८६॥
[ હે સમ્ય!] સ્થલશરીર, સ્ત્રી ને પુત્રાદિમાં મેહરૂપ (અહંતામમતારૂપ) મેટા મૃત્યુ ત્યાગ કર. જેમને જીતીને વિવેકીઓ વ્યાપક પરમાત્માના તે ઉત્તમ સ્વરૂપને પામે છે. ૮૬.
સ્થૂલશરીર કયાં કારણોથી નિંદવાયેગ્ય છે તે કહે છેत्वङ्मांसरुधिरस्नायुमेदोमजास्थिसंकुलम् । पूर्ण मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यामिदं वपुः ॥ ८७ ॥
આ સ્થૂલશરીર ચામડી, માંસ, લેહી, સ્નાયુ, મેદ, (ચરબી) મજજા ને હાડકાંથી ભરેલું [અને મૂત્ર ને વિઝાવડે પૂર્ણ [છે, તેથી] નિંદવાયેગ્ય [છે. ૮૭.
સ્થૂલશરીરના ઉપાદાનકારણ આદિને કહે છે – पंचीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः ॥ अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ॥ ८८ ॥
જીવના સુિખદુ:ખરૂપ ભેગના સ્થાનરૂપ આ સ્થૂલશરીર [જીવના પૂર્વ કર્મવડે પંચકૃત થૂલભૂતેમાંથી ઉપર્યું છે. તેની (રશૂલશરીરના અભિમાનીની) જાગ્રદઅવસ્થા છે.]