________________
શ્રીવિવેક્યૂડામણુિ.
૪૧૯
હૈ [પટ્ટાને તથા પદ્માના અર્થોને જાણનાર ! મારાવડે જે [બંધ તથા બંધના હેતુ અને મેાક્ષ તથા મોક્ષના હેતુ કહેવાય છે [તે તું] સાવધાન મનવાળા થઈને સાંભળ, તે આ [ઉત્તર] સાંભળવાથી [તું] શીઘ્ર [સંશયાદિથી રહિત થઈ સસારરૂપ બંધથી અત્યંત માકળા થઇશ. ૬૮.
વૈરાગ્યાદિ જ્ઞાનના હેતુઓને કહે છેઃ
मोक्षस्य हेतुः प्रथमो निगद्यते, वैराग्यमत्यन्तमनित्यवस्तुषु । ततः शमश्चापि दमस्तितिक्षा, न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् ॥ અનિત્ય વસ્તુઓમાં અતિઢ વૈરાગ્ય (ઇચ્છારહિતપણું) [] મેાક્ષનું ( મેાક્ષના સાધન બ્રહ્મજ્ઞાનનું) પ્રથમ સાધન કહેવાય છે, ત્યારપછી મનેાનિગ્રહ, ઇંદ્રિયનિગ્રહ, સહનશીલતા, અને [ અજ્ઞાનીએને પ્રાપ્ત સઘળાં [ શુભાશુભ ] કર્માને (કર્માસહિત તેના અભિમાનને વા અભિમાનને ) અત્યંત ત્યાગ [ આ જ્ઞાનનાં સાધન છે.] ૬૯.
ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरंतरं मुनेः । ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निर्वाणसुखं समृच्छति ॥ ७० ॥ પછી [ સદ્ગુરુના ઉપદેશનું ] શ્રવણ, તેનું [ એકાંતમાં આદરપૂર્વક યુક્તિએસહિત ] મનન, [પછી તે] મનનશીલનું લાંબા સમયસુધી નિત્ય નિરંતર [આત્માથી] અભિન્ન બ્રહ્મનું ધ્યાન [ આ જ્ઞાનનાં સાધના છે. ] પછી [તે] પરાક્ષજ્ઞાની [નામ ને જાતિ આદિ] વિકલ્પેોથી રહિત બ્રહ્મના સાક્ષાત્કાર કરીને વર્તમાનશરીરમાંજ [ નિરવધિ ] બ્રહ્માનંદને અનુભવ
કરે છે. ૭૦.