________________
૪૧૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. ઠાનથી] પવિત્ર અંતઃકરણવાળો છે, [તું બ્રહ્મજ્ઞાનવડે ] . કૃતાર્થ થઈશ, [] તે તારું કુલ પવિત્ર કર્યું, કારણ કે [તું] અવિદ્યારૂપ બંધની મુક્તિવડે બ્રહ્મરૂપ થવાની ઈચ્છા કરે છે. ૫૦.
બંધથી મોકળા થવા માટે પોતે જ પ્રયત્ન કરવો જોઈએ એમ દષ્ટાંત આપીને કહે છે – ऋणमोचनकर्तारः पितुः सन्ति सुतादयः । वन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ॥५१॥ .
પિતાના ત્રણમાંથી [ તે પિતાને ] મકળે કરનારાએ [ તેના ] પુત્રાદિ ( પુત્રપત્રાદિ સંબંધિજને ) હોય છે, પરંતુ [ અવિદ્યા ને તેનાં કાર્યરૂ૫] બંધથી [ જીવને ] મેકળો કરનાર પિતાનાથી ભિને કોઈ પણ નથી. [ આ બંધમાંથી મોકળા થવામાટે તે પોતેજ વિધિવત પ્રયત્ન કરવું જોઈએ. ] ૫૧. मस्तके न्यस्तभारादेदुःखमन्यनिवार्यते । क्षुधादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ॥५२॥
[ પોતાના ] માથા ઉપર રાખેલા ભારાદિના દુઃખને [તે ભાર ઊપાડી લેવાથી ] બીજાઓ વડે નિવારણ કરી શકાય છે, પણ ભૂખ આદિએ (ભૂખ તથા તરસે) ઉપજાવેલા દુઃખને પિતાના વિના [ અન્ય] કેવડે [ ખાઈને વા પીને દૂર કરી શકાતું] નથી. [ તે દુઃખની નિવૃત્તિ માટે તે પોતે જ ખાવું વા પીવું જોઈએ. ] પર,