________________
૪૧૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દુઃખને ફરીથી ન ઉપજે એ નાશ થાય છે. ૪૫. श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोर्मुक्तेहेतून्यक्ति साक्षाच्छूतेर्गी: । यो वा एतेष्वेव तिष्ठत्यमुप्य, मोक्षोऽविद्याकल्पितादेहबन्धात् ॥४६॥
[“ શ્રદ્ધામત્તિાનપાદ”—] આસ્તિકતા, [અદ્વૈત આત્માને ] વિચાર, અને [ વિજાતીય વૃત્તિઓના અંતરાયથી રહિત ] સજાતીય વૃત્તિઓને પ્રવાહ ચલાવવાથી [ આત્માને જાણ, આ કૈવલ્યપનિષદની ] શ્રુતિનું વાક્ય મોક્ષ મેળવવા ઈચ્છનારને મોક્ષનાં [ આસ્તિકતાદિ ] સાક્ષાત સાધને કહે છે. જે [ પુરુષ ] નિશ્ચયવડે આસાધનો)માંજ નિષ્ઠા કરે છે તેને અવિદ્યાએ કપેલા શરીરરૂપ બંધમાંથી મક્ષ [ થાય છે. ] ૪૬. अज्ञानयोगात्परमात्मनस्तव, शनात्मवन्धस्तत एव संसृति:। तयोविवेकोदितबोधवहिरज्ञानकार्य प्रदहेत्समूलम् ॥ ४७ ॥
પરમાત્મરૂપ તને [ દેહાદિરૂપ ] જડમાં [ હુંપણાના તથા તેના સંબંધવાળા પ્રાણિપદાર્થમાં મારાપણાના અભિમાનરૂપ ] બંધ [ આત્મસ્વરૂપના ] અજ્ઞાનના સંબંધથી [ ઉદય થયે છે, ને ] તેથીજ [ તને જન્મમરણરૂપ ] સંસાર [ છે. ] તે બંનેના ( આત્માના ને અનાત્માના) વિવેકથી ઉદય પામેલો જ્ઞાનરૂપી અગ્નિ [ અજ્ઞાનરૂપ ] મૂલસહિત અજ્ઞાનનાં [ હુંપણું ને મારાપણું આ રૂપ ] કાર્યને [ સૂકા તણખલાની પેઠે ] બાળી નાંખે છે. ૪૭.