________________
ચિંતા કર્યા વિના
૪૦૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આ મારું દુઃખ શી રીતે નાશ પામશે ? એવી મનમાં ] ચિંતા કર્યા વિના ને [ અન્યની આગળ તે દુઃખને ] વિલાપ કર્યા વિના [ તથા તે દુઃખની નિવૃત્તિને ! ઉપાય કર્યા વિના [ જે ] સર્વ દુઃખને સહેવાં તે [ વેદાંતશાસ્ત્રમાં ] તિતિક્ષા કહેવાય છે. ૨૪.
શ્રદ્ધાનું સ્વરૂપ કહે છે – . शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्धयवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ॥ २५ ॥
શાસ્ત્રના [ ] સદ્દગુરુના વાક્યને સત્યપણાની બુદ્ધિવડે નિશ્ચય તે પુરુષોએ શ્રદ્ધા કહી છે. જે[ શ્રદ્ધા ]વડે [ આત્મરૂપ] વસ્તુ પ્રાપ્ત થાય છે. ૨૫.
હવે સમાધાનનું લક્ષણ કહે છે – सर्वदा स्थापनं बुद्धेः शुद्ध ब्रह्मणि सर्वदा । तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ॥ २६ ॥
સર્વદા પવિત્ર બ્રહ્મમાં નિરંતર [પતાની વિષયોથી પાછી વાળેલી બુદ્ધિને સ્થિર કરવી તે સમાધાન એમ કહ્યું છે, પણ ચિત્તને [ વિષવડે ] લડાવવું [તે સમાધાન ] નથી [કહ્યું. ] ૨૬.
હવે મુમુક્ષતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अहंकारादिदेहान्तान्बन्धानज्ञानकल्पितान् । स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ॥ २७ ॥
અહંકારથી માંડીને સ્થૂલશરીરસુધીના અજ્ઞાને કપેલા