________________
શ્રીવિવેકચૂડામણિ.
૩૮૮ આથી જિજ્ઞાસુએ દયાના સાગર ને ઉત્તમ બ્રહ્મવેત્તા ગુરુનું શરણ ગ્રહણ કરીને [ બ્રહ્મથી અભિન] આત્મરૂપ વસ્તુનો વિચાર [ નિરંતર ] કર જોઈએ. ૧૫.
આ આત્મવિદ્યાના અધિકારીનાં લક્ષણો નીચેના બે લોકેવડે કહે છેमेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षित: ॥ १६ ॥ विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ॥ १७ ॥
[શ્રીસદગુરુના ઉપદેશને સમજવામાં ને ધારણ કરવામાં] ચતુર, સિત્ય તથા અસત્ય વસ્તુને જાણનાર, [ શ્રુતિ તથા
સ્મૃતિને અનુસરીને તર્ક કરવામાં અને શ્રુતિ, સ્મૃતિ ને તદનુકૂલ યુક્તિવડે વેદવિરુદ્ધ તર્કનું ખંડન કરવામાં નિપુણ પુરુષ [અર્થાત] કહેલાં લક્ષણવાળો (પુરુષ) આત્મવિદ્યામાં આધકારી [છે.] ૧૬.
વિવેકવાળા, વૈરાગ્યવાળા, શમાદિ [ છ સંપત્તિરૂપ ] ગુણવાળા, અને મોક્ષની ઈચ્છાવાળાને જ બ્રહ્મને વિચાર કરવાની યોગ્યતા [ બ્રહ્મસ્વરૂપને જાણનારાઓએ ] માની [ છે.] ૧૭.
ઉપર કહેલાં ચાર સાધન પ્રાપ્ત કર્યા વિના બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ શકતી નથી એમ કહે છે –
साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः । येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिद्धयति ॥ १८ ॥