SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેકચૂડામણિ. ૩૮૮ આથી જિજ્ઞાસુએ દયાના સાગર ને ઉત્તમ બ્રહ્મવેત્તા ગુરુનું શરણ ગ્રહણ કરીને [ બ્રહ્મથી અભિન] આત્મરૂપ વસ્તુનો વિચાર [ નિરંતર ] કર જોઈએ. ૧૫. આ આત્મવિદ્યાના અધિકારીનાં લક્ષણો નીચેના બે લોકેવડે કહે છેमेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षित: ॥ १६ ॥ विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ॥ १७ ॥ [શ્રીસદગુરુના ઉપદેશને સમજવામાં ને ધારણ કરવામાં] ચતુર, સિત્ય તથા અસત્ય વસ્તુને જાણનાર, [ શ્રુતિ તથા સ્મૃતિને અનુસરીને તર્ક કરવામાં અને શ્રુતિ, સ્મૃતિ ને તદનુકૂલ યુક્તિવડે વેદવિરુદ્ધ તર્કનું ખંડન કરવામાં નિપુણ પુરુષ [અર્થાત] કહેલાં લક્ષણવાળો (પુરુષ) આત્મવિદ્યામાં આધકારી [છે.] ૧૬. વિવેકવાળા, વૈરાગ્યવાળા, શમાદિ [ છ સંપત્તિરૂપ ] ગુણવાળા, અને મોક્ષની ઈચ્છાવાળાને જ બ્રહ્મને વિચાર કરવાની યોગ્યતા [ બ્રહ્મસ્વરૂપને જાણનારાઓએ ] માની [ છે.] ૧૭. ઉપર કહેલાં ચાર સાધન પ્રાપ્ત કર્યા વિના બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ શકતી નથી એમ કહે છે – साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः । येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिद्धयति ॥ १८ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy