SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા ને સમદર્શ આચાર્યભગવાને સુરેશ્વરના ચિત્તને સંતોષ આપવા કહ્યું “ પુત્ર! તમારી શારીરકભાખ્યપર વાર્તિક લખવાની જે પ્રબલ ઈછા અપૂર્ણ રહી છે તે હવે પછી તમે પ્રારબ્ધવશાત વાચસ્પતિનામ ધારણ કરી પૃથિવી પર પ્રકટશે ત્યારે ભામતીનામને સુંદર નિબંધ શારીરકભાષ્યપર રચી સંપૂર્ણ કરશે, ને તે નિબંધ વિદ્વાનમાં આદર પામશે.” પદ્મપાદે શારીરકભાષ્યપર વિવેચન લખ્યું, પણ તેમાંથી માત્ર પાંચ પાદજ અવશેષ રહી શક્યા, અને તેમાં પણ માત્ર પ્રથમપાદના ચાર સૂત્રો પરનું વિવેચનજ વિદ્વાનેમાં આદર પામ્યું. પછી આનંદગિરિનામના વિદ્વાન સંન્યાસીએ આચાર્યભગવાનની આજ્ઞા પ્રમાણે ત્રણે પ્રસ્થાનપરનાં ગંભીર ભાગ્યોપર લેકહિતમાટે ટીકા લખી. કાઈ વેલા પ્રારબ્ધના પ્રબલ વેગથી પદ્મપાદને ભરતખંડમાં આવેલાં તીર્થોની યાત્રા કરવાની પ્રબલ ઈરછા પ્રકટી, તેથી તેમણે આચાર્ય ભગવાનને વિનતિ કરી કે –“હે પ્રભે ! મારા અંતઃકરણમાં ભરતખંડનાં મુખ્ય તીર્થોની યાત્રા કરવાની પ્રબલ ઈચ્છા પ્રકટી છે, તે આપશ્રી મને યાત્રાએ જવાની અનુમતિ કૃપા કરીને આપશો.” તેના ઉત્તરમાં આચાર્યભગવાને તેમને કહ્યું:–“ તમે વિવિદિષાસંન્યાસ (બ્રહ્મસ્વરૂપ જાણવા માટે લેવામાં આવતે સંન્યાસ ) લીધો છે. એ સંન્યાસ લઈને આત્માથી અભિન્ન બ્રહ્મનો દઢ અપરોક્ષ અનુભવ મેળવવા તમારે ઘણમાં ઘણે પ્રયત્ન કરવાને છે. તમારે વેદાંતનું શ્રવણ, મનન ને નિદિધ્યાસનજ કર્યા કરવાં જોઈએ. તમારે નિષ્કપટભાવે પૂર્ણ પ્રેમથી તમારા સદ્દગુરુની સેવા કરવી એજ તમારે માટે ઉત્તમ યાત્રા છે. તમારા સદ્દગુરુનું ચરણોદક એજ તમારે માટે તીર્થ છે રદ્દગુસ્ના ઉપદેશપ્રમાણે પ્રયત્ન કરીને બ્રહ્મથી અભિન આમાનો સાક્ષાત્કાર
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy