________________
૪૭
કરવા એજ તમારે માટે સર્વે દેવાનું દર્શન છે. તીર્થયાત્રાએ જવાથી માર્ગમાં સંન્યાસીના ધા યથાયેાગ્ય પાળી શકાતા નથી. ચાલવાના શ્રમથી નિદ્રા આવી જાય છે, તેથી આત્મવિચાર કે આત્મધ્યાન થઈ શકતાં નથી. તીર્થયાત્રાએ જનારને માર્ગમાં ઘણી પ્રતિકૂલતા સહન કરવી પડે છે. કાઇ ઠેકાણે જોઇએ તેવુ અન્ન મળતું નથી, કાષ્ટ ઠેકાણે જોઇએ તેવુ પાણી મળી શકતુ નથી, તે કાષ્ટ ઠેકાણે ઊતરવાનું સ્થાન જોઇએ તેવુ' મળી શકતુ નથી. અન્ન, જલ તે ઊતારાની શોધમાં તીર્થયાત્રા કરનારનું મન નિત્ય વ્યગ્ર રહે છે. વળી માર્ગમાં તાવ કે અતિસારના રાગ થાય તો બીજાની સાથે આગળ વધી શકાતું નથી, ત્યાંજ માર્ગમાં પડ્યુ રહેવું પડે છે. માર્ગમાં દુર્જનાનો સાથ થાય તો કેટલીક આપત્તિએ અપરાધિવના ભાગવવી પડે છે. આવી અવસ્થામાં જીવના સ્વરૂપના ને ઈશ્વરના સ્વરૂપના વિચાર સ્વસ્થપણે કેમ થઇ શકે ? નજ થઇ શકે. તેથી હે પુત્ર! તું તારા મનને શાંત કરી, તર્થયાત્રાએ જવામાટે તારા મનમાં પ્રક્રુટેલા વેગને ઉપરનાં વચનાના વિચાર કરી શમાવી દે તો સારું', '
પદ્મપાદઃ—-“ હું પ્રભા ! આપની આનાવિરુદ્ધ મારે એક પણ વચન ખેલવું ઉચિત નથી, પરંતુ અનેક દેશા જોયા વિના ને ધારેલી તીર્થયાત્રા કર્યા વિના મારા અંતઃકરણમાં પ્રકટેલા આ વેગ શાંત થવાને સંભવ જણાતા નથી, તીર્થમાત્રામાં પણ અતઃકરણને સદ્ગુરુના ચરણારવિંદમાં રાખી શકાય છે. દુઃખ દેનારા પ્રારબ્ધના ઉદય થયા હશે.તે તે અહિ' કે તર્થયાત્રામાં દુઃખના અનુભવ કરાવશે, એમાં મારે કાંઈ ઉપાય નથી. તીર્થયાત્રામાં સાવધાનતાથી મારા સન્યાસીના ધર્માં યથાશક્તિ પાળીશ, ને બ્રહ્મધ્યાન પણ યથાશક્તિ કરીશ, માટે કૃપા કરીને મને તીર્થયાત્રાએ જવાની અનુમતિ આપશે.
""
આચાર્યભવાન્ઃ—“ તારા કાઇ બલવાન પ્રતિકૂલ પ્રારબ્ધના