________________
શ્રીવિવેકચૂડામણિ.
૩૮૫ કઈ પણ પ્રકારે (કેઈ મહાપુના પરિપાકવડે) પામીને, તે [ અને ] તેમાં પણ વેદના અર્થને પાર જાણી શકાય એવા પુરુષપણાને [પામીને] પણ પોતાની મુક્તિને માટે પ્રયત્ન ન કરે તે આત્માની ઘાત કરનાર [ મનુષ્ય] મિથ્યાના ગ્રહણથી નક્કી પિતાને હણે છે, (સ્વાર્થથી ભ્રષ્ટ થઈ દુઃખી થાય છે.) કે
મુક્તિને માટે પ્રયત્ન નહિ કરનાર પુરુષ મૂર્ખ છે એમ કહે છેઃइतः कोऽन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति । . दुर्लभ मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ॥ ५॥
જે [ જીવ] દુર્લભ મનુષ્યના શરીરને પામીને [અને તેમાં પણ પુરુષપણાને [પામીને ] પિતાના [મુક્તિરૂ૫] પ્રજનમાં પ્રમાદ કરે છે, આનાથી [વધારે ] મૂઢબુદ્ધિવાછે [ બીજે] કોણ છે? પ.
- બ્રહ્મથી અભિન્ન આત્માના જ્ઞાનવિના બીજા કોઈ ઉપાયથી લાંબે કાલે પણ મુક્તિ થઈ શકતી નથી એમ કહે છે – वदन्तु शास्त्राणि यजन्तु देवान्, कुर्वन्तु कर्माणि भजंतु देवताः। आत्मैक्यबोधेन विनापि मुक्तिर्, न सिद्धयति ब्रह्मशतान्तरेऽपि॥६॥
[[ભલે] શાસ્ત્રો ભણે, દેને પૂજે, [ શાસ્ત્રમાં કહેલાં! - કર્મો કરે, [ ] દેવની ભક્તિ કરે, પણ [ બ્રહ્મથી ] આ
ત્માના એકપણાના જ્ઞાનવિના સે બ્રહ્માનું જીવન પૂરું થતાસુધી પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી .
શાસ્ત્રોક્ત કર્મો મુક્તિના સાક્ષાત હેતુરૂપ નથી એમ જણાવે છે –