________________
શ્રીવિવેકચૂડામણિ.
૩૮૩ પિતાને વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનથી જીવ ઉંચનીચ અનેક નિએમાં ભ્રમણ કર્યા કરે છે. જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું દઢ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાંસુધી તે સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ મેળવી શકતો નથી, ને સંસારરૂપ અંધારા કુવામાં નિરંતર દુઃખાનુભવ કર્યા કરે છે. આત્મસ્વરૂપનું દઢ જ્ઞાન ભાગ્યસહિત ઉપનિષદો, ભાષ્યસહિત ભગવદ્ગીતા, ને ભાષ્યસહિત બ્રહ્મસૂત્રનું પિતાના શ્રી ગુરુદ્વારા શ્રવણ કરવાથી થાય છે. આ ત્રણે વેદાંતના મુખ્ય ગ્રંથોના વિચારમાં જેમની બુદ્ધિ પહોંચી ન શકતી હેય એવા મંદબુદ્ધિવાળા મનુષ્યોને સંસારરૂપ અંધારા કુવામાંથી બહાર કાઢવા માટે પરમકારુણિક આચાર્યભગવાને આ વિવેકચૂડામણિનામને નાને ને સુખપૂર્વક સમજાય એ પ્રકરણ ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં આત્મા ને અનાત્માને ઉત્તમ પ્રકારે વિવેક કરેલ હોવાથી આ ગ્રંથનું નામ વિવેકચૂડામણિ રાખવામાં આવ્યું છે. આ ગ્રંથના પ્રારંભમાં આ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થવા માટે શિષ્ટાચારને અનુસરીને આચાર્યભગવાન નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે – सर्वदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ॥१॥
સવ ઉપનિષદના સિદ્ધાંતના વિયરૂપ, [મન તથા વાણીના ]. અવિષયરૂપ, નેિ પરમાનંદરૂપ તે ગોવિંદ સટ્ટગુરુને હું નમેલે છે. ૧.
હવે મુક્તિનું બહુ દુર્લભપણું જણાવે છે – जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता, तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात्परं ।