SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પરોક્ષજ્ઞાની બ્રહ્મભાવનાવડે બ્રહ્મરૂપ થાય છે એમ દષ્ટાંતપૂર્વક કહે છે:– भावितं तीव्रवेगेन यद्वस्तु निश्चयात्मना । पुमांस्तद्धि भवेच्छीघ्र शेयं भ्रमरकीटवत् ॥ १४० ॥ નિશ્ચયયુક્ત બુદ્ધિવાળા [પુરુષે જે સિચિદાનંદ બ્રહ્મરૂપ ] વસ્તુ તીવ્રવેગવડે ( અહર્નિશ બ્રહ્માકારવૃત્તિવડે) ચિંતન કરેલી હોય તેજ [ અપરોક્ષપણાવડે] જાણવાગ્ય [ બ્રહ્મરૂપ તે] પુરુષ શીધ્ર થાય છે, ભ્રમરકીટની પેઠે. જેમ જે યેળને ભમરીએ ડંખ માર્યો હોય તે વેળ ભયને લીધે સતત ભમરીનું જ ધ્યાન કરવા લાગે છે, તેથી તે યેળ મટીને ભમરીરૂપ થઈ જાય છે એમ કહેવાય છે, તેમ જે દઢ નિશ્ચયવાળો પુરુષ નિરંતર તીવ્રવેગવડે બ્રહ્મનું ધ્યાન કર્યા કરે છે તે પુરુષ પણ પિોતાનું જીવપણું ત્યજી થોડા સમયમાં બ્રહ્મરૂપ થઈ જાય છે. ૧૪૦. જ્યારે ધ્યાનના સામર્થ્યથી એક વસ્તુ બીજી વસ્તુરૂપ થઈ જાય છે ત્યારે આ જગત વસ્તુતાએ બ્રહ્મ છે તેનું બ્રહ્મરૂપે ચિંતન કરવાથી તે બ્રહ્મરૂપ અનુભવાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી, આવા અભિપ્રાયવડે સર્વાત્મભાવના કરવાનું કહે છે – अदृश्यं भावरूपं च सर्वमेव चिदात्मकं । सावधानतया नित्यं स्वात्मानं भावयेदबुधः ॥ १४१॥ પરાક્ષ ને પ્રત્યક્ષ સર્વજ [ જગત] ચિતન્યરૂપ [ હું છું, એમ ] વિવેકી પિતાના સ્વરૂપને સ્થિર વૃત્તિવડે નિરં. તર ચિંતવે. (આ સવ ને હું બ્રહ્મજ છીએ એવું વિવેકી પુરુષ પોતાના આત્માનું સર્વદા ધ્યાન કરે.) ૧૪૧. આ અર્થનેજ સ્પષ્ટ કરીને કહે છે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy