________________
શ્રીઅપરક્ષાનુભૂતિ.
૩૮૪ આ વિચાર કેવલ જ્ઞાનનું જ સાધન નથી, પણ ધ્યાનનું પણ સાધન છે, એમ કહે છે –
अनेनैव प्रकारेण वृत्तिर्ब्रह्मात्मिका भवेत् । उदति शुद्धचित्तानां वृत्तिज्ञानं ततः परं ॥ १३७ ॥
પવિત્ર અંતકરણવાળાઓને આ પ્રકારેજ [ વિચાર કરવાથી પ્રથમ બ્રહ્માકાર ]ત્તિનું જ્ઞાન (ભાવના) ઉદય પામે છે, ને ત્યારપછી બ્રહ્મરૂપ વૃત્તિ [ સ્થિર ] થાય છે. ૧૩૭.
નીચેના બે કેવડે તે વિચારને સ્પષ્ટ કરીને દેખાડે છે – कारणं व्यतिरेकेण पुमानादौ विलोकयेत् । अन्वयेन पुनस्तद्धि कार्य नित्यं प्रपश्यति ॥ १३८॥ कार्ये हि कारणं पश्येत्पश्चात्कार्य विसर्जयेत् । कारणत्वं ततो गच्छेदवशिष्टं भवेन्मुनि: । १३९ ॥
પ્રથમ પુરુષ [કાર્યના ત્યાગવડે [માત્ર] કારણને વિચાર, પછી તેને (તે કારણ) કાર્યમાં સર્વદા વ્યાપેલું સારી રીતે જુએ. ૧૩૮.
[ પ્રથમ] કાર્યમાં કારણ [ વ્યાપેલું છે એમ ] વિચારે. પછી કાર્યને [ અંતઃકરણની વૃત્તિમાંથી ] દૂર કરી નાંખે. પછી ( કાર્યને ત્યાગ થવાથી) [ અપેક્ષાએ કહેવાતું ! કારણપણું [ એની મેળે ] જતું રહે છે, [ કાર્યકારણભાવ જવાથી ] મનન કરનાર પુરુષો બાકી રહેલ [ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ ] થાય છે. ૧૩૯.