________________
૩૮૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. सुखेनैव भवेद्यस्मिन्नजस्रं ब्रह्मचिंतनं । आसनं तद्विजानीयान्नेतरत्सुखनाशनम् ॥ ११२ ॥
જેમાં સુખપૂર્વક (કર્તવ્ય તથા અકર્તવ્યની ચિંતાથી રહિતજ) નિરંતર બ્રહ્મનું ચિંતન થાય છે તેને તે બ્રહ્મના નિશ્ચયને) આસન જાણવું; હિઠગમાં કહેલું) બીજું (આસન) તે સ્વાભાવિક]. સુખનો નાશ કરનારું [છે.] ૧૧૨.
સિદ્ધાસનનું સ્વરૂપ કહે છે – सिद्धं यत्सर्वभूतादि विश्वाधिष्टानमव्ययं । यस्मिन् सिद्धाः समाविष्टास्तद्वै सिद्धासनं विदुः ॥ ११३ ॥
" જે [બ્રહ્મ) સર્વ ભૂતોથી પ્રથમ સિદ્ધ, જગતનું અધિઠાન [ને અવ્યય છે, ને જેમાં સિદ્ધ સારી રીતે પ્રવેશ પામેલા [છે, તેનેજ (તે બ્રહ્મને જ) [તત્ત્વજ્ઞપુરુષો] સિદ્ધાસન જાણે છે. ૧૧૩. - મૂલબંધનું વર્ણન કરે છે –
यन्मूलं सर्वभूतानां यन्मूलं चित्तबंधनं । मूलबंधः सदा सेन्यो योग्योऽसौ राजयोगिनां ॥ ११४ ॥
જે [બ્રહ્મ] સર્વભૂતેનું કારણ છે, ને જે ચિત્તના નિગ્રહનું નિમિત્ત [છે,] (જે બ્રહ્મની પ્રાપ્તિ માટે ચિત્તની વૃત્તિઓને રોકવામાં આવે છે, તે બ્રહ્મરૂ૫] મૂલબંધ [મુમુક્ષુ સર્વદા સેવવાયેગ્ય [છે.] આ મૂલબંધ) રાજગીઓને (વ્યવહારમાં પણ જેમનાં ચિત્તા વિક્ષેપને પ્રાપ્ત થતાં નથી એવા બ્રહ્મજ્ઞાનના પરિપાકવાળા પુરુષોને) [છે.] ૧૧૪.