SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. બ્ધની સ્થિતિ ક્યાંથી [ સંભવે ?] શ્રુતિ તે અજ્ઞાની મનુ . બ્દને સમજાવવામાટે પ્રારબ્ધ કહે છે. અજ્ઞાની મનુષ્યને સમજાવવા માટે ઇત્યાદિ–કોઈ અજ્ઞાની મનુષ્ય પૂર્વપલ કરે કે આત્મજ્ઞાનવડે વ્યવહારનું કારણ અજ્ઞાન જે નાશ પામે તો પછી જ્ઞાનીઓને વ્યવહાર શી રીતે સિદ્ધ થઈ શકે? તો તેને સમજાવવા માટે શ્રુતિ કહે છે કે જ્ઞાનીનો સર્વ વ્યવહાર તેમનું પ્રારબ્ધકર્મ નિભાવે છે. આવી રીતે પ્રારબ્ધ કર્મ સત્ય નથી. ૮૭. જ્ઞાનીનાં સર્વ કર્મો નિવૃત્ત થઈ જાય છે એમ શ્રુતિ પણ સ્વીકારે છે એમ કહે છે – क्षीयते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे । बहुत्वं तनिषेधार्थ श्रुत्या गतिं च यत्स्फुटं ॥ ९८ ॥ તે બ્રહ્મને સાક્ષાત્કાર થવાથી આનાં કર્મો નાશ પામે છે,” [આ શ્રુતિવડે જે સ્પષ્ટ બહુપણું કહ્યું છે તે તેના (પ્રારબ્ધના) નિષેધ માટે છેિ.] બહુપણું–જે તે શ્રુતિને અભિપ્રાય જ્ઞાનીને સંચિતર્મનો નાશ થાય છે, ને તેના આગામી કર્મને તેને સ્પર્શ થતો નથી, એટલે જ હત તે જળ એવું વર્મશબ્દનું બહુવચન ન કહેતાં માત્ર તે બે કર્મોની નિવૃત્તિ જણાવવા વાર્મળ એવું તે શબ્દનું દિવચન કહેત, પણ તે શ્રુતિમાં જર્મન શબ્દનું વર્મા એવું બહુવચન સ્પષ્ટ મૂકયું છે, તેથી સિદ્ધ થાય છે કે શ્રુતિ જ્ઞાનીના પ્રારબ્ધના અભાવને સ્વીકારે છે. ૪૮. પ્રારબ્ધને સત્ય માનતાં જે દોષ આવે છે તે કહે છે – उच्यतेऽर्बलाच्चैतत्तदानर्थद्वयागमः । वेदांतमतहानं च यतो ज्ञानमिति श्रुति: ॥ ९९ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy