________________
શ્રીઅપરાક્ષાનુભૂતિ.
૩૧૧
છાડતું નથીજ, એમ જે શાસ્ત્રમાં સંભળાય છે, તેનુ ને નિરાકરણ કરાય છે.
જગની પ્રતીતિ ત્રણ પ્રકારની છે, સત્યરૂપ, વ્યાવહારિક ને પ્રાતિભાસિક. તેમાં વેદાંતના શ્રવણ, મનન તે નિદિધ્યાસનવડે જગન્ના સત્યપાની પ્રતીતિ દૂર થાય છે, આત્માના અપરક્ષાનુભવ થયે જગની વ્યાવહારિકી પ્રતીતિ ખાધ પામે છે, અને જગતની પ્રાતિભાસિકી પ્રતીતિ શરીરના પ્રારબ્ધની નિવૃત્તિ થયે નિવૃત્ત થાય છે. જ્ઞાનીની દૃષ્ટિએ પ્રારબ્ધની પ્રતીતિ સત્યરૂપે કે વ્યાવહારિકરૂપે ન થાય એમ સિદ્ધ કરવા અહિં આચાર્ય ભગવાનની પ્રતિજ્ઞા છે. ૯. પ્રતિજ્ઞા કરેલા અર્થને કહે છેઃतत्त्वज्ञानोदयादूर्ध्व प्रारब्धं नैव विद्यते । देहादीनामसत्त्वात्तु यथा स्वप्नो विबोधतः ॥ ९१ ॥
જેમ જાગવાથી સ્વપ્ન [ રહેતું નથી, તેમ ] તત્ત્વજ્ઞાનનો ઉદય થયા પછી દેહાદિના મિથ્યાપણાથી પ્રારબ્ધ પણ નથીજ રહેતું. [ સ વ્યવહારનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે, તે અજ્ઞાનની નિવૃત્તિ થવાથી અન્ય વ્યવહારના અભાવની સાથે પ્રારબ્ધના પણ અભાવ થઇ જાય છે. ] ૯૧. હવે પ્રારબ્ધશબ્દના અર્થ કહી આ વિષયની સમાપ્તિ કરે છેઃकर्म जन्मांतरीयं यत्प्रारब्धमिति कीर्तितं । तत्तु जन्मांतराभावात्पुंसो नैवास्ति कर्हिचित् ॥ ९२ ॥ જન્માંતરનું ( પૂર્વજન્મનું) જે [ મલવાન ] કર્મ [ત] પ્રારબ્ધ આમ [ શાસ્ત્રમાં] કહેલું છે, પણ [ અકર્તા ] આ