________________
૩૦
vi*ev w w wwwwwwwwwwwww w w w w
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. કારણ અજ્ઞાન આત્માથી અભિન્ન બ્રહ્મના દઢ અનુભવથી બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. આરોપિતનો અધિષ્ઠાનમાંજ લય થાય છે, કેમકે આરોપિતનું સ્વરૂપ અધિષ્ઠાનથી ભિન્ન હોતું નથી. ૮૭.
सर्वमात्मतया ज्ञातं जगत्स्थावरजंगमं । अभावात्सर्वभावानां देहस्य चात्मता कुतः ॥ ८८ ॥
]િ સ્થાવરજંગમ સર્વ જગત્ આત્મપણા વડે જાણ્યું, [તે આત્માથી ભિન્ન] સર્વ પદાર્થોના અભાવથી શરીરનું આત્મપણું ક્યાંથી [સંભવે ?] ૮૮.
મુમુક્ષુના કર્તવ્યનું તથા જ્ઞાન થયા પછી પ્રારબ્ધને ભોગવી છૂટવાનું કહે છે –
आत्मानं सततं जानन्कालं नय महाद्युते । प्रारब्धमखिलं भुंजन्नोद्वेगं कर्तुमर्हसि ॥ ८९ ॥
હે મહાતેજસ્વી ! [તું વેદાંતનાં વાક્યો વડે ] સર્વદા આત્માને વિચાર કરતે છતે [તારા જીવનને સર્વ સમય વ્યતીત કર, અને જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી] બધું પ્રારબ્ધ [આભાસમાત્ર સમજી તેને] ભગવતે છતે વુિં] ઉદ્વેગ કરવાને એગ્ય નથી. ૮૯.
પ્રારબ્ધને આત્માની સાથે સંબંધ નથી એમ પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરે છે –
उत्पन्नेऽप्यात्मविज्ञाने प्रारब्धं नैव मुंचति । इति यच्छ्यते शास्त्रे तन्निराक्रियतेऽधुना ॥ ९० ॥
આત્માને અનુભવ ઉત્પન્ન થયા છતાં પણ પ્રારબ્ધ