SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે. જેમ પૃથિવી ઘડારૂપે [ને ] તાંતણાઓ વજ્રરૂપેજ [ તેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ ( આત્માના સ્વરૂપને નહિ જાણનારે) આત્મા શરીરરૂપે નક્કી કરેલા છે. ૭૧, ૩૬૬ જેમ સાનું કુંડલપાવડે [ન] જલ તરંગપાવડેજ [ તેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ આત્મપણું શરીરપણુાવડે નક્કી કરેલ છે. ૭૨. જેમ ઠુંઠું પુરુષરૂપે [ને] સૂર્યનાં કિરણા જલરૂપે તેિના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે, ] તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે. ૭૩. જેમ લાકડાંએ ઘરરૂપેજ [ને] લાઢાપણું તલવારપણાવડેજ [તે બંનેના સ્વરૂપને નહિ જાણનારે નક્કી કરેલ છે,] તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે. ૭૪, આત્માનું શરીરરૂપે જ્ઞાન થવામાં આત્મસ્વરૂપનું અજ્ઞાનજ કારણ છે એમ નીચેના ખાર ક્ષેાકેાવડે કહે છે: यथा वृक्षविपर्यासो जलाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७५ ॥ જેમ કેાઈ જલથી વૃક્ષનું ઉંધાપણું જુએ છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંઅંધથી આત્મામાં શરીરપણું જુએ છે. જલથી વૃક્ષનું ઉંધાપણું–તળાવના સ્થિર જલના સંબંધથી તે તળાવના કાંઠાઉપર રહેલા ઝાડને તેનાથી ઉંધું એટલે તેના ઉપરા ભાગ નીચે ને નીચેનેા ભાગ ઉપર એવી રીતે. ૭૫.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy