________________
શ્રીઅપેક્ષાનુભૂતિ.
જડનો ને આત્માનો વિવેક અજ્ઞાનીઓને માટે કર્યો છે. જ્ઞાનીઓને તે તેવા વિવેકની અગત્ય નથી એમ કહે છે – यथैव मृण्मय: कुंभस्तद्वद्देहोऽपि चिन्मयः । आत्मानात्मविभागोऽयं मुधैव क्रियते बुधैः ॥ ६९ ॥
જેમ ઘડો માટીરૂપજ [છે, ] તેમ શરીર પણ ચૈતન્યરૂપ [ છે, માટે ] આજડચેતન વિભાગ જ્ઞાનીઓ વડે વ્યર્થજ કરાય છે. [ જડચેતનના વિવેકનું નિરૂપણ માત્ર અજ્ઞાનીએને માટે છે, જ્ઞાનીઓને માટે નથી.] ૬૯.
અજ્ઞાની મનુષ્યને કલ્પિત શરીર આત્મ રૂપ જણાય છે આ અર્થ દૃષ્ટાંત આપીને નીચેના પાંચ વડે કહે છે –
सर्पत्वेन यथा रज्जू रजतत्वेन शुक्तिका । विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७० ॥ .. घटत्वेन यथा पृथ्वी पटत्वेनैव तंतवः। विनिर्णीता विमूढेन देहत्त्वेन तथाऽऽत्मता ॥ ७१॥ . कनकं कुंडलत्वेन तरंगत्वेन वै जलं। विनिर्णीतं विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७२॥ पुरुषत्वे यथा स्थाणुर्जलत्वेन मरीचिका । विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७३॥ गृहत्वेनैव. काष्ठानि खड्गत्वेनैव लोहता। विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता ॥ ७४॥
જેમ [ દેરીને નહિ જાણનાર મનુષ્ય ] દોરી સર્પરૂપે [ ને છીપને નહિ જાણનારે ] છીપ રૂપારૂપે [ નકકી કરેલ છે, તેમ અજ્ઞાનીએ આત્મા દેહરૂપે નક્કી કરેલ છે.૭૦.