________________
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
પોતાની મેળે જ ગ્રહણ થાય છે, તેમ જગતનું દર્શન થવાથી પ્રમાણની અપેક્ષાવિના પ્રતીત થવાના સ્વભાવવાળું બ્રહ્મ પણ દેખાય છે. ૬૭.
બ્રહ્મના પ્રતીત થવાથી સંસાર પ્રતીત નહિ થાય એવી શંકા કરીને અવસ્થાના ભેદથી બંને પ્રતીત થઈ શકે છે એમ દષ્ટાંતસહિત
सदैवात्मा विशुद्धोऽस्ति शुद्धो भाति वै सदा । . यथैव द्विविधा रज्जुानिनोऽज्ञानिनोऽनिशं ॥ ६८ ॥
જેમ જ્ઞાનીને [ ] અજ્ઞાનીને સદા દેરી બે પ્રકારની જ [ છે, તેમ જ્ઞાનીને ] આત્મા સર્વદા વિશુદ્ધજ છે, ને [ અજ્ઞાનીને તે ] સદા અશુદ્ધજ ભાસે છે.
જેમ દેરડીને દોરડીરૂપે જાણનાર મનુષ્યને તે દેરડી વિષરહિત હોવાથી ભય આપતી નથી, પણ તે દેરડીને નહિ જાણનારને તે દેરડી સર્પરૂપે પ્રતીત થઈ વિષસહિતપણુવડે ભય આપનારી થાય છે, તેમ આત્મસ્વરૂપને જાણનાર મનુષ્યને આત્મા સર્વદા અજ્ઞાન ને તેના કાર્ય જગતરૂપ મેલથી રહિતજ અનુભવાય છે, ને આત્મસ્વરૂપને નહિ જાણનાર મનુષ્યને તે આત્મા સર્વદા જગતરૂપજ દેખાય છે. જેમ દિવસે પ્રકાશતા સૂર્યને લાભ આંધળાઓ લઈ શક્તા નથી, પણ દેખતા મનુષ્યોજ તેને લાભ લઈ શકે છે, તેમ સર્વદા સ્થિત આત્માને જે મનુષ્યો પિતાની ચિત્તવૃત્તિમાં આરૂઢ કરી શકે છે તેને મેક્ષરૂ૫ લાભ થાય છે, ને જેઓ જગતને જ જુએ છે, ને આત્મસ્વરૂપને પિતાની ચિત્તવૃત્તિમાં આરૂઢ કરી શકતા નથી તેને લાભ થતો નથી. ૬૮.