________________
૩૫9
શ્રીઅપેક્ષાનુભૂતિ.
૩૫૭ - માયાવડે ઠગાયેલે [ જે] મનુષ્ય અહિ (બ્રહ્મમાં) ભેદ જુએ છે તે મૃત્યુથી મૃત્યુને (જન્મમરણની પરંપરાને) પામે છે, [ આવા ભાવવાળી ] શ્રુતિએ [ભેદજ્ઞાનમાં ] દેષ પણ પ્રતિપાદન કર્યો છે, [ તેથી સર્વ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ એકજ છે, તેમાં લગારે ભેદ નથી. ] ૪૮.
જે બ્રહ્મમાં ભેદ ન હોય તે જિજ્ઞાસુએ નિશ્ચય કે કરવો જોઈએ? એમ જાણવાની ઈચ્છા થાય તો તેનું ઉત્તર કહે છે:ब्रह्मण: सर्वभूतानि जायते परमात्मनः । तस्मादेतानि ब्रह्मैव भवंतीत्यवधारयेत् ॥ ४९ ॥
અપરિચ્છિન્ન પરમાત્માથી સર્વ ભૂતે ઉત્પન્ન થાય છે, [પરમાત્મામાં જ સ્થિતિ કરે છે, ને પરમાત્મામાં જ લીન થાય છે, ] તેથી આ [ ભૂતે] બ્રહ્મજ છે, એમ [ જિજ્ઞાસુ] નક્કી કરે. ૪૯.
વિવિધ નામ, રૂ૫ ને કર્મના ભેદવડે વિચિત્ર પ્રાણુઓ છે, તે બધાં બ્રહ્મરૂપ કેમ સંભવી શકે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – . ब्रह्मैव सर्वनामानि रूपाणि विविधानि च । ___ कर्माण्यापि समग्राणि विभीति श्रुति गौ ॥ ५० ॥ | સર્વ નામને, નાના પ્રકારનાં રૂપોને, અને સંપૂર્ણ કમાને [તે સર્વના અધિષ્ઠાનરૂ૫] બ્રહ્મજ ધારણ કરે છે, એમ [ બૃહદારણ્યકની “કર્થ વા હું નામ જ વર્મ”—નામ રૂપ ને કર્મ આ ત્રણ આ] શ્રુતિ [ અધિકારીઓને ] સંભળાવતી હવી. [ જેમ દોરીને નહિ જાણનાર મનુષ્યને દેરી