________________
૩૪૬
શ્રી શંકરાચાર્યનાં અછાદશ રનો.
રૂપને જાણનારા પુરુષોએ કહ્યું છે, તેનાથી ભિન્ન જ્ઞાને તે કથનમાત્ર જ્ઞાન છે. ૨૪.
જે આત્મા જન્મમરણવાળે તથા સુખદુઃખાદિવાળો પ્રતીત થાય છે તેને તમે બ્રહ્મ કેમ કહે છે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે?— निाकारो निराकारो निरवद्योऽहमव्ययः। * नाहं देहो ह्यसद्रुपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २५ ॥
હું નિર્વિકાર, નિરાકાર, નિર્દોષ [] અવ્યય [ ,] મિથ્યાસ્વરૂપવાળું શરીર હું નથી, [આ] જ્ઞાન એમ જ્ઞાનીવડે કહેવાય છે.
બ્રહ્મથી અભિન્ન ને શરીરાદિની અંતર : રહેલે હું સ્કૂલદેહના જન્મમરણાદિ સર્વવિકારોથી રહિત, દેહાદિના આકારથી રહિત, સ્થૂલશરીરના વાતપિત્તાદિ દોષોથી ને સૂક્ષ્મશરીરના કામક્રોધાદિ દોષોથી રહિત હોવાથી આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક તાપથી રહિત, અને વિનાશથી રહિત છું. જેમ છીપમાં ભ્રાંતિથી રૂપાની પ્રતીતિ થાય છે, તેમ નિર્વિકાર આત્મામાં હું મનુષ્ય છું એવી પ્રતીતિ બ્રાંતિથી થાય છે. આવી રીતના જ્ઞાનને આત્મજ્ઞાનીઓ જ્ઞાન કહે છે. ૨૫.
બેધની દઢતામાટે પુનઃ પણ આત્મજ્ઞાનનું સ્વરૂપ કહે છે – निरामयो निराभासो निर्विकल्पोऽहमाततः। नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २६ ॥
. હું સર્વ રેગથી રહિત, આભારહિત, સર્વકલ્પનાઓથી રહિત, નેિ વ્યાપક છુિં) મિથ્યાસ્વરૂપવાળું શરીર હું નથી, [] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે.