________________
३४४
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनं ।
नान्यादिदीप्तिवद्दीप्तिर्भवत्यांध्यं यतो निशि ॥ २२ ॥ - જે પદાર્થનું જ્ઞાન તે આત્માનું પ્રકાશપણું [જાણવું. જેથી રાતમાં અંધારું [ પ્રતીત ] થાય છે, [તેથી]. અગ્નિ આદિના પ્રકાશના જે પ્રકાશ [ આત્માને ] નથી.
આ ઘડે છે, આ લૂગડે છે, આવી રીતે જે જડ પદાર્થોનું જ્ઞાન થવું એજ આત્માનું પ્રકાશપણું અથવા તેને જ્ઞાનસ્વભાવ છે, પણ અગ્નિ આદિ પ્રકાશવાળા પદાર્થોના પ્રકાશને આત્માનો પ્રકાશ નથી. જે અગ્નિ આદિ પ્રકાશવાળા પદાર્થોના પ્રકાશ જેવો આત્માનો પ્રકાશ માનીએ તો અંધારી રાત્રિએ સ૫ ને ચિકૂપ-પ્રકાશરૂઆત્મા વિધમાન હોવાથી અંધારું' પ્રતીત ન થવું જોઈએ, પરંતુ અંધારી રાત્રિએ આત્માને સભાવ છતાં પણ અંધારું પ્રતીત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે આત્માને પ્રકાશ અગ્નિ આદિને ઘકાર. જેવો નથી, પણ તેનાથી વિલક્ષણ છે, આત્માને એ પ્રકાશ અગ્નિ આદિના પ્રકાશની પેઠે અંધારાને દૂર કરતો નથી, પરંતુ અન્ય પદથેંની પેઠે અંધારાને પણ આ અંધારું છે એવા જ્ઞાનનો વિષય કરે છે. અગ્નિ આદિના પ્રકાશને પ્રકાશનારો ને અન્ય પ્રકાશક સાધનની અપેક્ષા નહિ કરનારો જે પ્રકાશ છે તે આત્માને પ્રકાશ છે. ૨૨.
પુનઃ પણ આત્માના તથા દેહના ભેદને દેખાડે છે – देहोऽहमित्ययं मूढो धृत्वा तिष्ठत्यहो जनः ।। ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टे। सर्वदा ॥ २३ ॥
ઘડાના દ્રષ્ટાની પેઠે સર્વદા આ મારો [ દેહ ] એર