SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૪૧ ભાવવિકારથી રહિત છું, તેથી હું સત્ય, જ્ઞાન તે આનંદરૂપ બ્રહ્મ છું, આમાં મને લેશ પણ સંશય નથી. આવી રીતના જીવના વાસ્તવિક બ્રહ્મપણાના વિચાર કરવા તે વિચાર બ્રહ્મનું જ્ઞાન થવામાં હેતુ છે. ૧૬. હવે નીચેના પાંચ ક્ષેાકેાવડે અજ્ઞાનનું સ્વરૂપ દેખાડી જીવ તથા બ્રહ્મના એકપણાને દૃઢ કરે છેઃ— आत्मा विनिष्कलो को देहो बहुभिरावृतः । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १७ ॥ આત્મા નિરવયવ ને એક [છે, અને] સૂક્ષ્મદેહ મહુવડે આચ્છાદિત [છે.] તે એનું એકપણું જુએ છે, આનાથી ખીજું અજ્ઞાન શું? જાગ્રદાદિ ત્રણે અવસ્થામાં તે ત્રણે અવસ્થાના ભાવાભાવના સાક્ષીપાવડે સદા રહેનારા સત્યજ્ઞાનાદિરૂપ આત્મા નિરવયવ ને એક છે. જો આત્મા અવયવવાળા હોય તે તે ઘટાદિ અવયવવાળા પદાશૅની પેઠે વિનાશી કરે. લિંગશરીર આવું ( આત્માના જેવું ) નથી. લિગશરીર પાંચ કર્મેન્દ્રિયા, પાંચ જ્ઞાનેદ્રિયા, પાંચ પ્રાણ, મન તે બુદ્ધિ આ સત્તુર. તત્ત્વાના સમૂહરૂપ છે. લિંગશરીરનું કારણ અજ્ઞાન જ્યારે નાશ ને છે ત્યારે લિંગશરીર નાશ પામે છે જો લિંગશરીર અવયવરહિત માનીએ તે તેને જ્ઞાનવડે નાશ ન થવાથી કાઇ પણ મનુષ્યાક્તિ કોઇ પણ કાલે મેક્ષ ન થઈ શકે. આત્મા અને. લિગશરીર પ્રકાશ ને અંધારાની પેઠે અત્યંત વિલક્ષણ છે, છતાં તાર્કિકાદિ કેટલાક વાદીએ તે અંતેના એકપણાને જાણે છે, આ તેમના વિપરીતજ્ઞાનથી ભિન્ન ખીજું અજ્ઞાન શું છે ? આ વિપરીતજ્ઞાનના કારણુરૂપ અજ્ઞાન તેજ અજ્ઞાન છે. ૧૭.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy