SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦, શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. છે, જેમ ઔદીચ્ય બ્રાહ્મણને નાગરબ્રાહ્મણથી ભેદ; બીજી જાતિવાળાથી જે ભેદ તે વિજાતીયભેદ કહેવાય છે, જેમાં બ્રાહ્મણનો ક્ષત્રિયાદિથી ભેદ; અને અવયવીને અવયવોથી ભેદ તે સ્વગતભેદ કહેવાય છે, જેમ શરીરને હાથ આદિથી ભેદ. જગત અજ્ઞાનનું કાર્ય હેવાથી મિથ્યા છે, છતાં જેમ રજુ ન જાણવામાં આવે ત્યાં સુધી તેમાં કલ્પાયેલ સર્પ ભયને હેતુ થાય છે, તેમ બ્રહ્મને સાક્ષાત્કાર ન થાય ત્યાંસુધી બ્રહ્મમાં કલ્પાયેલ સંસાર ભયને હેતુ થાય છે. બ્રહ્મનું જ્ઞાન થયે સંસારનાં સર્વ ભયેની નિવૃત્તિ થાય છે. તે બ્રહ્મને મન તથા વાગાદિ ઈદ્રિયે પહોંચી શકતાં નથી, કેમકે તે નામ, રૂપ ને ક્રિયાદિથી રહિત છે. જગત પોતાના વિવર્તઉપાદાનકારણ બ્રહ્મથી ભિન્ન વાડી, આવી રીતને જગતના વિવર્તઉપાદાનકારણને વિચાર કરવો તે વિચાર બ્રહ્મનું જ્ઞાન થવામાં કારણરૂપ છે. ૧૫. જેમ જગત બ્રહ્મથી ભિન્ન નથી, તેમ જીવ પણ બ્રહ્મથી ભિન્ન નથી એમ કહે છે: – अहमेकोऽपि सूक्षमश्च ज्ञाता साक्षी सदव्ययः । तदहं नात्र संदेहो विचारः सोऽयमीदृशः ॥ १६ ॥ જેથી] હું પણ અદ્વિતીય, સૂક્ષ્મ, જ્ઞાતા, સાક્ષી, સત્ ને અવ્યય છુિં] તેથી હું [બ્રહ્મ છુંઆમાં સંદેહ નથી. આ આવા પ્રકારને વિચાર તે [વચાર.] જેથી એટલે અંતરાત્મા પણ બ્રહ્મની પેઠે સજાતીયાદિ ભેદથી રહિત, નેત્રાદિ ઈદ્રિયોને અવિષય, અહંકારાદિના પ્રકાશકપણુથી ચેતનરૂપ, ઇદ્રિારા પદાર્થોની સાથે સંબંધ પામ્યા વિના પણ સર્વ પદાર્થોને અસંગ રહીને પ્રકાશનાર, ત્રણે કાલમાં એકરૂપે રહેનાર, ને છે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy