________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ. "
૩૩
માને છે, ને મીમાંસ જીવોનાં શુભાશુભ કર્મોથી જગતની ઉત્પત્તિ માને છે. સ્વભાવાદિને જગતનું કારણ માનનારા વાદીઓ સ્વભાવાદિમાંથી આ જગતની ઉત્પત્તિ માને છે. આ સર્વ વાદીઓના જગતની ઉત્પત્તિના સંબંધના વિચારો આદર આપવાયગ્ય નથી. આ નામરૂપાત્મકJસર્વ જગત આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે, અને પ્રકાશથી જેમ અંધકાર દૂર થાય તેમ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનવડે આ નામરૂપાત્મક જગત આત્મસ્વરૂપમાં નિઃશેષ લીન થાય છે. “હું આ કરીશ” “હું આ ભોગવીશ” આવી રીતના નાનાપ્રકારેના જવના સંકલ્પ-અંતઃકરણનાં પરિણામો-તેને પ્રતીત થતા જગ-ત્ન કર્યો છે. આવા પ્રકારને જે જગતના ઉત્પત્તિના સંબંધને તથા જગતના કર્તાના સંબંધને વિચાર કરવો તે વિચાર આત્મજ્ઞાનનું સાધન છે. ૧૪. હવે આ જગતના વિવર્તઉપાદાનાકારણને વિચાર કરે છે –
एतयोर्यदुपादानमेकं सूक्ष्मं सदव्ययं । . ૨થવ પૃદ્ધ નાં વિવાદ: સોચનીદરાઃ ૨૬
જેમ ઘટાદિનું માટી [તેમ ] આ બંનેનું જે ઉપાદાન [ 0 ] એક, સૂમ, સત્ ને અવ્યય [ છે,] આ આવા પ્રકારનો વિચાર તે [ વિચાર.]
જેમ ઘટાદિ માટીનાં કાર્યોનું ઉપાદાનકારણ–ઉત્પત્તિ, સ્થિતિ ને નાશને હેતુમાટી છે, તેમ અજ્ઞાન ને અંતઃકરણના પરિણામરૂપ સંકલ્પનું જે ઉપાદાનકારણ છે તે સજાતીય, વિજાતીય ને સ્વગતભેદથી રહિત, અજ્ઞાનથી પણ સૂક્ષ્મ, ત્રણે કાલમાં રહેનાર, ને અવિકારી છે. એક જાતિવાળાને જે પરસ્પર ભેદ તે સજાતીયભેદ કહેવાય