________________
wmanum
શ્રીઅપેક્ષાનુભૂતિ.. ૩૩૫ વિષયથી જિ નિવૃત્તિ તે પ્રસિદ્ધ શ્રેષ્ઠ ઉપરતિ છે, અને સર્વ દુઃખેનું સહન તે શુભ તિતિક્ષા માનેલી છે.
શ્રુતિ ને સરુનાં વચનમાં વિશ્વાસ તેિ પ્રસિદ્ધ શ્રદ્ધા એમ કહેવાય છે, અને સકૂપ લક્ષ્યમાં ચિત્તનું એકાગ્રપણું ]િ સમાધાન એમ કહ્યું [છે.]
સર્વ સમયમાં પોતાના પૂર્વના બલવાન સંસ્કારોથી ઉદય પામતી વિષયવાસનાને પરિત્યાગ અર્થાત વિષયભણે દેડતી ચિત્તવૃત્તિને રોકવાનું સામર્થ્ય તે શમ કહેવાય છે, અને ત્રાદિ તથા વાગાદિ બાહેંદ્રિયની નિષિદ્ધ પ્રવૃત્તિને તિરસ્કાર તે દમ કહેવાય છે. ૬.
બંધન કરનારા શબ્દાદિ વિષય ને તેનાં સાધનામાં ક્ષણભંગુરપણુંદ દોષોના દર્શનવડે ચિત્તમાં તે શબ્દાદિ વિષયના ગ્રહણની ઈચ્છાને અભાવ-ચિત્તમાં તે વિષયના ગ્રહણમાં સ્વાભાવિક અરુચિ-તે આત્મજ્ઞાનના ઉત્તમ સાધનરૂપ ઉપરતિ કહેવાય છે, અને શીતોષ્ણાદિ દુઃખનાં સર્વ સાધનને તેની નિવૃત્તિને ઉપાય કરવાની ઈચ્છા કર્યા વિના સહન, કરવાનું જે અંતઃકરણનું બલ તે સુખસ્વરૂપવાળી તિતિક્ષા છે એમ વિકાને માને છે. ૭.
ઉપનિષનાં વચનોમાં ને શ્રીસગુનાં વચનામાં અથવા ઉપનિષદનું વ્યાખ્યાન કરનાર શ્રી ગુરુના ઉપદેશોમાં પરમપ્રીતિના હેતુભૂત જે વિશ્વાસ તે વેદાંતમાં પ્રસિદ્ધ શ્રદ્ધા કહેવાય છે, અને સર્ષ બ્રહ્મમાં જે ચિત્તનું એકાગ્રપણું અર્થાત્ એક બ્રહ્મને જ જાણવાની ચિત્તમાં ઈચ્છા તે સમાધાન કહેવાય છે. ૮. .
હવે શમાદિ છ સંપત્તિના કાર્યભૂત મુમુક્ષતાનું નિરૂપણ કરે છે --