SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ટ તેમની કૃપા પ્રાપ્ત કરી હતી ? ” એમ પદ્મપાદને પૂછતાં તેમણે જણાવ્યું કે:-− પૂર્વે મે' અહોબલનામના પર્વતના વનમાં રહીને ધૃણા સમયસુધી ભગવાન નૃસિંહનુ' આરાધન કરી તેમની કૃપા સ`પાદન કરી હતી.” કેટલાક દિવસેાપછી આચાર્યભગવાન શ્રીરૌલપર્વતથી વિદાય થઈ મનુષ્યોના કલ્યાણમાટે ભરતખંડમાં વિચરતા વિચરતા ગાકર્ણક્ષેત્રમાં પધાર્યા. ગાકર્ણેશ્વરની પ્રસન્ન મને વિનયપૂર્વક્ર સ્તુતિ કરી તે ક્ષેત્રમાં ત્રણ દિવસ વિરાજ્યા. ત્યાંથી હરિશંકરનામના ક્ષેત્રમાં પધારી પછી મૂકબિકાનામનાં દેવીના મંદિરમાં પધાર્યા. પછી ત્યાંથી શિષ્યાસહિત શ્રીકિનામના ગામમાં પધાર્યાં. તે ગામમાં ધણા વિદ્વાન બ્રાહ્મણા વસતા હતા. તેમાં એક પ્રભાકરનામના વિદ્વાન બ્રાહ્મણના દીકરા ગાંડાજેવા જણાવાથી તે બ્રાહ્મણ પોતાને બહુ દુ:ખી માનતા હતા. એ બ્રાહ્મણપુત્ર મુંગાની પેડે પેાતાને માઢેથી કાંઇજ ખેલતા નહાતા, તેથી તેને ભૂત વળગ્યું હશે, માટે તેને યાગ્ય ઉપાય કરવા હુ કાઇ સમર્થ વિદ્વાનને પૂછીશ, એવા વિચાર પ્રભાકર કર્યા કરતા હતા, એટલામાં તેણે કેટલાંક માણસે દ્વારા સાંભળ્યુ. કેઃ– કેાઇ મહાસમર્થ સંન્યાસી પેાતાના ઘણા શિષ્યની સાથે ધણાં પુસ્તકા લઇને પોતાના ગામની બહાર પધાર્યા છે. આ વાત સાંભળી તે પ્રભાકર પોતાના ગાંડાજેવા જણાતા પુત્રને સાથે લખને આચાર્યભગવાનની સમીપ આવ્યા. ભેટ મૂકવામાટે સાથે આગેલાં ક્લા આચાર્યભગવાનના ચરણકમલમાં અર્પણ કરી પછી તેણે તેએબીને સાષ્ટાંગ ડવપ્રણામ કર્યાં. પશ્ચાત્ પોતાના મુ ગાજેવા જણાતા પુત્રને આચાર્યભગવાનના ચરણકમલમાં નમન કરાવ્યું. એ બ્રાહ્મણપુત્ર બાલકની પેઠે આયાર્યભગવાનના ચરણકમલની સમીપ પડશે! રહ્યા, ઊયે નહિ, એટલે પ્રભાકરે . આચાર્યભગવાનને નિવેદન કર્યું કે:--“ હે સ્વામિન! આ મારા પુત્રનું વય તેર વર્ષનુ થયું છે, પણ હજીસુધી તે કાંઇ સમજતા હાય એમ જણાતુ` નથી. ,,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy