SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ એને ભણાવવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ તે કાંઈ ભણે નાહ. એ. જેવડા વયના છોકરાઓ એને રમવા માટે બોલાવે છે, પણ તે તેમના સાથે રમવા પણ જતો નથી. કોઈ તેફાની છોકરાઓ કદાચ તેને મારે તે તેમને માર તે સહન કરે છે, પરંતુ કાંઈ બોલતું નથી. કેઈ વેલા તે ભજન કરે છે, અને કેાઈ વેલા ભોજન પણ કરતું નથી. એના શરીરનું ઠેકાણું ન હોવાથી તે પોતાના પ્રારબ્ધથી જ જીવે છે, એમ જણાય છે. તેની આવી સ્થિતિ છે, માટે આપ કૃપા કરીને જણાવશે કે એને કાંઈ રોગ થયો છે ? કે કોઈને વળગાડ થયો છે” પછી આચાર્યભગવાને કૃપા કરી તે બાલકના મસ્તક પર હાથ મૂકી તેને કહ્યું કે —-“ ઊઠ, બેઠા થા, તું કોણ છે ? ને આવી બાલકના જેવી ચેષ્ટા શામાટે કરે છે ?” આચાર્યભગવાનનાં આવાં વચને સાંભળી તે બાલકે “હે સર ! જડ શરીરરૂપ નથી, પણ તેને પ્રકાશના - ચેતનસ્વરૂપવાળા છુ; મારામાં અંતઃકરણના, પ્રાણના, ઈન્દ્રિયોના ને શરીરને ધર્મ નથી; હું પરમ પવિત્ર ને પરમાનંદરૂપ બ્રહ્મ છું;” ઈત્યાદિ વચનેથી સર્વ પ્રપંચથી રહિત અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ છું એમ આચાર્યભગવાનને પિતાનું સ્વરૂપ જણાવ્યું. તે બાલકનાં આવાં આત્માનુભવનાં ઉત્તમ વચને સાંભળી આચાર્ય ભગવાને જાણ્યું કે આ કેઈ યોગી છે. પછી તેઓશ્રીએ તે બાલકના પિતાને કહ્યું કે:--“ આ પુત્રથી તમને આ જગતમાં કે ઈ પ્રકારના લાભ થવાનો સંભવ નથી, કેમકે તેને પોતાના શરીરઉપર પણ પ્રીતિ નથી, તે તેને ગૃહાદિમાં પ્રીતિ કેવી રીતે ઉત્પન્ન થશે ? માટે જે તમારી ઈચ્છા હેય ને આની પણ ઈચ્છા હોય તો આ બાલક ભલે અમારી સાથે આવે.” તે બાળકના પિતાએ સ્વજનોનો અભિપ્રાય મેળવી તે વાતને સ્વીકાર કર્યો. પછી આચાર્યભગવાન બીજા શિષ્યસહિત એ બાલકને હસ્તામલક ( હાથમાં રાખેલા આમળાની પેઠે વા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy