________________
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર.
૩૨૭ અન્યની દષ્ટિએ વિદ્યમાન છતાં પણ પિતાના અપરિછિન બ્રહ્માકારની ભાવનાવડે તે પૂલશરીર ને ઇકિયાદિના પરિચ્છિન્નપણાના અભિમાનના અભાવથી તે જ્ઞાનીની દષ્ટિએ તેમનું શિથિલપણું થાય છે. સ્થૂલશરીર તથા ઇંદ્રિયમાંથી હુંપણુની ને મારા૫ણુની બુદ્ધિ શિથિલ થયે તે પાંચ સૂક્ષ્મભૂત રૂપ પાંચ શબ્દાદિ વિષયોથી તે વિષયના સમીપણામાં પણ તેમનું ચિત્ત વિકારને પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાનરૂપ અનિવડે તેમનાં સર્વ સંચિત કર્મો દાહ પામી જાય છે, દેહાદિમાં હુંપણાના અભિમાનના અભાવથી તેમને આગામિકર્મોને સ્પર્શ થઈ શકતો નથી, અને તેમને પ્રારબ્ધ પણ મિસ્યારૂપ પ્રતીત થાય છે, તેથી પ્રારબ્ધને પણ તેમના આત્માની સાથે સંગ થઈ શકતો નથી. આવી રીતે તેઓ તે ત્રણ કર્મરૂપ બેડીથી અત્યંત મોકળા થઈ જાય છે. આ કારણથી તેઓ તે સમયમાંજ (જ્ઞાનેકાલમાંજ) ભાવિદેહની નિવૃત્તિરૂપ વિદેહકૈવલ્યને પામે છે. જેમ પ્રવાસી પિતાના માર્ગમાં અનાયાસે આવેલાં ગામ, નગર, નદી, પર્વત ને વનાદિને જુએ છે તેમ જ્ઞાનીના શરીરાદિવડે ભેજનાદિને અનુભવ કરાય છે, અર્થાત પૂર્વના સંસ્કારોને લીધે કુંભારના ચાકડાની પેઠે તેમના શરીરાદિની પિતાની મેળેજ પ્રવૃત્તિ થાય છે. પછી તેમના શરીરનું પતન તે જ્ઞાનીની અભિમાનપૂર્વક પ્રવૃત્તિ વિના પણ ૪ષભદેવ ને જડભરતાદિના શરીરની પેઠે અન્ય લેકેની લૌકિકદષ્ટિવડેજ છે. ૫૦-૫૧.
એવા જ્ઞાનીનું પ્રારબ્ધ રહે ત્યાં સુધી તેઓ જીવન્મુક્ત કહેવાય છે, ને તે પ્રારબ્ધ પૂરું થયે તેઓ સદેહની નિવૃત્તિરૂપ વિદેહકેવેલ્યુ. ને પામે છે એમ નીચેના બે શ્લોકોવડે કહે છે –
प्रारब्धकर्मवेगेन जीवन्मुक्तो यदा भवेत् । किंचित्कालमनारब्धकर्मबंधस्य संक्षये ॥ ५२ ॥ .