SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. બંનેની એકતા સંભવતી નથી, માટે તે બંનેમાંથી વિશિષ્ટપણું મૂકી દુષ્ટને માત્ર દેવદત્તમાં તે તથા આ પદ વર્તે છે, તેમ વાત્ત” મહાવાક્યમાં પણ તપદના વાચ્યાનું તથા સ્વંપદના વાચ્યાનું ગ્રહણ કરતાં તે બંનેના પરાક્ષપણું ને પ્રત્યક્ષણું આદિ વિરાધી ધર્મને લીધે એકતામાં વિરેધ આવે છે, તેથી તે બંને પદ્મા અખંડેકરસચેતનમાં બંનેના વિરેાધી ભાગના ત્યાગ ને અવિરાધી ભાગના ગ્રહણવડે વર્તે છે, એમ વિદ્વાનોનું માનવું છે. મહાવાક્યને અર્થ કરવામાં જહુક્ષક્ષણા સંભવતી નથી, કેમકે તે પ્રમાણે જો બધા વાચ્યા સજી દેવામાં આવે તે ચેતનના પણ ત્યાગ થઇ જાય. મહાવાક્યને અ કરવામાં અજહલ્લક્ષણા પણ સંભવતી નથી, કેમકે તેમાં વાચ્યા ત્યાગ નહિ થતા હેાવાથી વિરાધ વિદ્યમાન રહે છે. પરિશેષથી મહાવાક્યના અર્થ કરવામાં ઉપર કહેલી રીતે ભાગત્યાગલક્ષણાજ ઉપયાગી થાય છે. કેટલાક પુરુષો ‘“તવમાલ” મહાવાક્યના અર્થ કરતાં પ્રથમના તપદને તેના અંશ એવા અથ કરીને તું તેને અશ એટલે કાર્ય છે એવા આ મહાવાક્યનેા અર્થ કરે છે તે અર્થ આદર આપવાયેાગ્ય જણાતા નથી, કારણકે તે અથ પ્રકરણથી તથા યુક્તિથી વિરુદ્ધ પ્રતીત થાય છે. કાર્ય તેના કારણથી ભિન્ન હેાતું નથી, પણ કાર્ય કારણરૂપજ હોય છે, એમ કાર્યને કારથી અભેદ જણાવવાનું ત્યાં પ્રકરણ છે, ત્યાં જીવતે કાર્ય કહીને પછી તેને બ્રહ્મરૂપ કારણથી તેના અંશરૂપે ભિન્ન માનવા એ યેાગ્ય નથી. વળી જીવને ઉત્પત્તિવાળા માનવાથી તેને વિનાશ માનવા પડશે, તે તેમ માનતાં તેને મેાક્ષની પ્રાપ્તિ સંભવશે નહિ. શ્રુતિમાં શ્રદ્ધે જીવરૂપે પ્રવેશ કર્યાનું કહેલું હોવાથી જીવને બ્રહ્મના કાર્યરૂપ માનવેા ઉચિત નથી, તથા જેમ ધટાકાશ મહાકાશને વાસ્તવિક અશવા કાર્ય નથી, તેમ નિરવયવપાવર્ડ નિર્દેશપણાથી તે
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy