SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvv ૩૨૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. માયા ને માયાના ધર્મોના આશ્રયરૂપ તથા તેનાથી ઢંકાયેલા, આ જગતના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ, સર્વાપણું તથા સર્વ શક્તિમાનપણું ઇત્યાદિ લક્ષણવાળા, જીવની અપેક્ષાએ પરોક્ષપણથી યુક્ત, તથા સત્ય, જ્ઞાન ને આનંદરૂપ જે પદાર્થ છે તે તપદના વાચ્યાર્થરૂપ ઈશ્વર છે. ૪૫. એવી રીતે બંનેને વાચ્યાર્થ કહીને તે બંનેના અભેદના પ્રતિપાદનમાં વિરોધ દેખાડતા છતા લક્ષણવૃત્તિને કહે છે – प्रत्यक्परोक्षतैकस्य सद्वितीयत्वपूर्णता । विरुध्यते यतस्तस्माल्लक्षणा संप्रवर्तते ॥ ४६ ॥ જેથી એકનું પ્રત્યપણું ને પરોક્ષપણું તથા સદ્વિતીયપણું ને પૂર્ણ પણે વિરોધ પામે છે, તેથી લક્ષણ પ્રવર્તે છે. પદના વાચ્ય જીવને ને તપદના વાચ્ય ઈશ્વરને અભેદ પ્રતિપાદન કરવામાં એક જ વસ્તુનું અંતરાત્માપણું ને પક્ષપણું, પરિચ્છિન્નપણું ને વ્યાપકપણું, ભાષાધિકપણું ને કાર્યોપાધિપણું, તથા અ૫જ્ઞપણું ને સર્વત્તાપણું વિરોધ પામે છે, તેથી મહાવાકાને અર્થ કરવામાં શક્તિવૃત્તિ ( શબ્દને મુખ્યાથે જણાવનારી શક્તિ) પ્રવર્તતી નથી, પણ લક્ષણત્તિ પ્રવર્તે છે. ૪૬. આ વાક્યમાં આ લક્ષણે થાય છે એમ કહેવાને લક્ષણનું સામાન્ય લક્ષણ કહે છે – मानांतरविरोधे तु मुख्यार्थस्य परिग्रहे । मुख्यार्थेनाविनाभूते प्रतीतिर्लक्षणोच्यते ॥ ४७ ॥ વાચ્યાર્થીનું ગ્રહણ કરવામાં અન્ય પ્રમાણને વિરોધ થતાં વાચ્યાર્થીની સાથે સંબંધ રાખનારની [જે] પ્રતીતિ તે લક્ષણ કહેવાય છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy