________________
૩૨૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું તપદના અર્થનું (બ્રહ્મનું) પરોક્ષપણું નિવૃત્ત થઈ તે પિતાનું જ સ્વરૂપ છે એમ જીવને સમજાઈ તે બ્રહ્મનું અપરોક્ષપણું થાય છે. પછી તે જીવનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રત્યગાત્મા તે કેવે રૂપે સ્થિત થાય છે? એમ શિષ્યને શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે કે –હે સૌમ્ય ! સાંભળ. આવી રીતે જીવન ને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપનું સંશયરહિત અભિનપણું જાણ્યા પછી તે જીવનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રત્યગાભા તે પૂર્ણાનંદરૂપે સ્થિત થાય છે. ૪૧.
મહાવા જવબ્રહ્મના વાગ્યાથ ના અભેદને ત્યાગ કરીને તેમના લક્ષ્યાર્થીને અભેદ પ્રતિપાદન કરે છે એમ કહે છે –
तत्त्वमस्यादिवाक्यं च तादात्म्यप्रतिपादने । - लक्ष्यौ तत्त्वंपदार्थों द्वावुपादाय प्रवर्तते ॥ ४२ ॥
વળી તે તું છે, ઇત્યાદિ વાક્ય એકપણાના પ્રતિપાદન નમાટે લક્ષણો વિષયરૂપ બે તત્પદ ને વંદના અર્થને ગ્રહણ કરીને પ્રવર્તિ છે.
વળી તે બ્રહ્મ તું છે, ઈત્યાદિ મહાવા જવબ્રહ્મના એ૫ણાના પ્રતિપાદન માટે ભાગત્યાગલક્ષણના વિષયરૂપ બે એટલે જીવ તથા બ્રહ્મને એકપણાની યોગ્યતાવડે સ્વીકારીને પ્રવર્તે છે. એ બંનેની ઉપાધિવાળી સ્થિતિમાં તે બંનેની એકતાને મહાવાયો જણાવતાં નથી. ૪૨.
મહાવાક્યમાંનાં બંને પદના વાચ્યાર્થીને પરિત્યાગ કરીને તેના લક્ષ્યાર્થીનું અમે ગ્રહણ કર્યું છે એમ જણાવે છે –
हित्वा द्वौ शबलौ वाच्यौ वाक्यं वाक्यार्थबोधने । . यथा प्रवर्ततेऽस्माभिस्तथा व्याख्यातमादरात् ॥ ४३ ॥