SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યત્તિસ્તોત્ર. ૩૧ – વસ્તુતાએ તેમાં કોઈ પણ ભેદ નથી. ચેતન ને આનંદ એ બંને શબ્દો એકજ વસ્તુને જણાવનારા છે. ૩૮. એવી રીતે બને પદોના લક્ષ્યાર્થના અત્યંત એકપણુરૂપ વાક્ષાર્થનું જ્ઞાન થવાથી શું થાય છે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે?— इत्थमन्योन्यतादात्म्यप्रतिपत्तिर्यदा भवेत् । अब्रह्मत्वं त्वमर्थस्य व्यावर्तेत तदैव हि ॥ ४० ॥ જ્યારે આવી રીતે એકબીજાના એકપણાનું જ્ઞાન થાય. છે ત્યારે જ તું અર્થનું અબ્રહ્મપણું નિવૃત્ત થાય છે. - જે સમયમાં ઉપર કહેલી રીતે સંપદના અર્થના (જીવન) ને તત્પદના અર્થના (ઈશ્વરના) એકપણુનું સંદેહરહિત જ્ઞાન કોઈ પણ મનુષ્યને થાય છે તે સમયમાં જ ચંપદના અર્થરૂપ જીવના અબ્રહ્મપણાની-હું મનુષ્ય છું ઈત્યાદિ અભિમાનથી સક્રિતીયપણુવડે કર્તવભોકતૃત્વાદિ લક્ષણવાળા સંસારીપણુની-નિવૃત્તિ થાય છે. ૪૦. જીવને સંસારીપણુની નિવૃત્તિની પેઠે અભેદજ્ઞાનથી ઈશ્વરના ૫રોક્ષપણુની પણ નિવૃત્તિ થઈ જાય છે, ને પછી જીવ બ્રહ્મરૂપે સ્થિતિ કરે છે, એમ કહે છે – तदर्थस्य च पारोक्ष्यं यद्येवं किं ततः शृणु । पूर्णानन्दैकरूपेण प्रत्यग्बोधोऽवतिष्ठते ॥ ४१ ॥ અને તપદનું પક્ષપણું [ નિવૃત્ત થાય છે.] જે એમ [થાય તે] પછી શું? સાંભળ. પ્રત્યાધ પૂર્ણાનંદરૂપેજ સ્થિત થાય છે, - તત્પદના અર્થન ને ચંપદના અર્થના એકપણાનું જ્ઞાન થવાથી
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy