SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદના અર્થનું પ્રતિપાદન કરનારાં વાને શ્રવણુ તથા મનનના અભ્યાસવડે સંદેહરહિત નિશ્ચય કરીને પછી પોતાના સંશયની સારી રીતે નિવૃત્તિ થાય ત્યાંસુધી “ થાત આવે નેતિ નેતિ ” (હવે બ્રહ્મ નિષેધના અવધિરૂપ હોવાથી તેનું કથન આ (કારણ) બ્રહ્મ નહિ, આ (કાર્ય) બ્રહ્મ નહિ, એમ થાય છે, ) એ નિષેધમુખ શ્રુતિમાં કહેલી રીતે માયા ને માયાનાં કાર્યોના પરિત્યાગવડે અને “સત્યં શાનનનન્ત ત્રિહ્મ” ( બ્રહ્મ સત્યરૂપ, જ્ઞાનરૂપ ને અનંતરૂપ છે,) ઇત્યાદિ અન્યના નિષેધવિના સાક્ષાત બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વિધિમુખ શ્રુતિવાવડે તતપદના અર્થને વારંવાર આદરપૂર્વક સાવધાનતાથી વિચાર કરે. ૨૮. હવે અતતરૂપ જડના પરિત્યાગવડે તપદના અર્થનું નિરપણ કરે છે – निरस्ताशेषसंसारदोषोऽस्थूलादिलक्षणः । अदृश्यत्वादिगुणक: पराकृततमोमलः ॥ २९ ॥ અજ્ઞાનરૂપ મલથી રહિત, સમગ્ર સંસારદોષથી રહિત, અસ્થૂલાદિ લક્ષણયુક્ત, ને અદશ્યપણાદિ ગુણવાળ [ આ તપદને લક્ષ્યાર્થ છે.] જેમાં અજ્ઞાનરૂપ મલનો લેશ પણ નથી; જેમાં ક્રિયા ને રાગદેષાદિને સંભવ નથી; જે સ્થૂલથી ભિન્ન, અણુથી ભિન્ન, હસ્વથી ભિન્ન, ને દીર્ધથી ભિન્ન છે, અર્થાત સ્થૂલપણુદિ લક્ષણવાળી જે વસ્તુઓ જગતમાં છે તે સર્વ વસ્તુઓથી જે ભિન્ન છે; અને જે અદસ્યપણું, અપરિચ્છિન્નપણું ને અવિકારીપણું આદિ ધર્મોવાળે પદાથે છે તે તપદને લક્ષ્યાર્થ છે. ૨૮.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy