________________
શ્રીવાક્યવૃત્તિસ્તત્ર.
હવે વિધિમુખવડે ચિંતન કરવામાટે તત્પદના અર્થના શ્રુતિમાં કહેલા વિધિસ્વરૂપનું નિરૂપણ કરે છેઃ—
निरस्तातिशयानंदः सत्यः प्रज्ञानविग्रहः । सत्तास्त्रलक्षणः पूर्णः परमात्मेति गीयते ॥ ३० ॥ [જે] નિરતિશયાનંદરૂપ, સત્યરૂપ, જ્ઞાનસ્વરૂપવાળા, સત્તાસ્વભાવવાળા [ ને] પૂર્ણ[ છે તે ] પરમાત્મા એમ
કહેવાય છે.
૩૧૩
જે અપરિમિત આનંદરૂપ છે, જે ત્રણે કાલમાં એકસ્વરૂપે રહે છે, જે નિરુપાધિકજ્ઞાનસ્વરૂપ છે, જે સત્તામાત્ર છે, તથા જે પરિપૂર્ણ છે, તે પરમાત્મા એટલે તત્પદના લક્ષ્યા છે એમ કહેવાય છે. ૩૦. એવી રીતે નિષેધમુખે ને વિધિમુખે નિરુપાધિક બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણુ કરીને વે તેના સંશયરહિત જ્ઞાનમાટે માયેાપાધિક બ્રહ્મનું છ શ્લોકોવડે નિરૂપ્ણ કરે છે. તેમાં પહેલા શ્લોકવડે તેના સર્વજ્ઞપણું આદિ ધર્મા જણાવે છેઃ—
सर्वज्ञत्वं परेशत्वं तथा संपूर्णशक्तिता ।
वेदैः समर्थ्यते यस्य तद्ब्रह्मेत्यवधारय ॥ ३१ ॥
વેદેવડે જેનું સર્વજ્ઞપણું, પરમેશ્વરપણું, ને સંપૂર્ણશક્તિપણું પ્રતિપાદન કરાય છે તે બ્રહ્મ એમ નક્કી કર.
થ: સર્વજ્ઞ” (જે સર્વજ્ઞ છે, ) વવ સર્વેશ્વર:” (આ સર્વના ઈશ્વર છે, ) તે “વાર્ય રાવિવિષેવ જીયતે” ( આની નાનાપ્રકારની શ્રેષ્ઠ શક્તિએ સંભળાય છે, ) ઇત્યાદિ વેદવચનેાવડે જે સગુણુબ્રહ્મનું સર્વજ્ઞપણું, પરમેશ્વરપણું ને સંપૂર્ણ ઉત્તમ પ્રકારની શક્તિઓવાળાપણું પ્રતિપાદન કરાય છે તે માયાસહિત બ્રહ્મ છે એમ તું
નક્કી કર. ૩૧.