________________
૩૦૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
હવે દશ્યપણુવડે અચેતનપણું સિદ્ધ થયા છતાં પણ શરીરેદિયાદિનું પ્રકારોતરે અચેતનપણું જણાવતા હતા તેનાથી વિલક્ષણપણુવડે-ચૈતન્યસ્વરૂપપણુવડે આત્માનું પ્રતિપાદન કરે છે –
देहेद्रियादयो भावा हानादिव्यापृतिक्षमा: । यस्य सन्निधिमात्रेण सोऽहमित्यवधारय ॥ १८ ॥
જેના સાંનિધ્યથીજ શરીર ને ઇંદ્રિયાદિ પદાર્થો ત્યાગાદિ ક્રિયા કરવા સમર્થ થાય છે તે હું છું એમ નક્કી કર.
જે ચેતનને સમીપપણુવડેજ સ્થૂલશરીર, ઇંદ્રિય, અંતઃકરણ ને પ્રાણુ આ જડ પદાર્થો કોઈ વસ્તુનો ત્યાગ કરવામાં ને કોઈ વસ્તુને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે, તે ચેતન હું છું એમ તું નક્કી કર. ચેતનના સમીપપણવડે દેહાદિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા સમર્થ થાય છે, તેથી તેમનું ગાડા આદિની પેઠે અચેતનપણું જણવ્યું છે. ૧૮.
અવિકારી ચેતનના સમીપપણા વડે જ બુદ્ધિ આદિની પ્રવૃત્તિ સંભવી શકતી નથી, તેથી ચેતનમાં અચેતન બુદ્ધિ આદિની પ્રાપ્ત કરાવનારે વિકાર માનવો જોઈએ, અને જે તેમ માનીએ તો ચેતન વિકારી થવાથી વિનાશી થશે, એમ શિષ્યના મનમાં શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –
अनापन्नविकारः सत्नयस्कोतवदेव यः । बुद्धयादींचालयेत्प्रत्यक् सोऽहमित्यवधारय ॥ १९ ॥
જે અંતરાત્મા વિકાર નહિ પામ્યા છતાં ચુંબકની પેઠે જ બુદ્ધિ આદિને કિયાયુક્ત કરે છે તે હું છું એમ નક્કી કર.