________________
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર.
૩૦૫
એવી રીતે ઇદ્રિને દ્રષ્ટા હું ઇંદ્રિયે નથી એમ નકકી કર. મન, બુદ્ધિ તથા પ્રાણ હું નથી એમ નક્કી કરે.
જેમ સ્કૂલશરીર, ઇક્રિયે, મન, બુદ્ધિને પ્રાણ એ પ્રત્યેક આત્મા નથી, તેમ તેને સમૂહ પણ આત્મા નથી. દેહાદિના સમૂહને શાસ્ત્રમાં ક્ષેત્ર કહ્યું છે, તે ક્ષેત્ર દશ્ય ને જડ છે, અને તેને જાણનારો ક્ષેત્રજ્ઞ તેનાથી ભિન્ન ચેતનરૂપ કહ્યો છે. આવી રીતે સર્વ દૃશ્યથી વિપરીત સ્વભાવવાળા દ્રષ્ટાને, આ દેહાદિસંધાન પોતાનાથી ભિન્ન દ્રષ્ટાવાળો છે, દસ્ય હોવાથી, જે જે દશ્ય હોય છે તે તે પોતાનાથી ભિન્ન દ્રષ્ટાવાળું હોય છે, જેમ ઘટાદિ, આ અનુમાન પ્રમાણે સાવધાનતાપૂર્વક નક્કી કર. ૧૬.
દેહેંકિયાદિને સમૂહ પણ આત્મા નથી એમ પ્રતિપાદન કરે છે - संघातोऽपि तथा नाहमिति दृश्यविलक्षणम् ।। द्रष्टारमनुमानेन निपुणं संप्रधारय ॥ १७ ॥
તેવી રીતે સંઘાત પણ હું નથી, એમ દશ્યથી વિલક્ષણ દ્રષ્ટાને અનુમાન વડે સાવધાનતાથી નક્કી કર.
વાગાદિ પાંચ કર્મેન્દ્રિો તથા શ્રેત્રાદિ પાંચ જ્ઞાને િદશ્ય હોવાથી તે ઇકિને દ્રષ્ટા હું તે ઇદ્રિરૂપ નથી, પણ તે ઇંદ્રિયોથી ભિન્ન છું એમ નક્કી કર. નેત્રાદિ ઇકિયે સ્થૂલશરીરના દ્રષ્ટારૂપ હોવાથી તે આત્મા છે એમ ન માનવું, કેમકે ત્યાં નેત્રાદિ ઇક્રિય દ્રષ્ટા નથી, પણ ઇદિને સાક્ષો આત્મા જ ઇકિધારા સ્કૂલશરીરને દ્રષ્ટા છે. નેત્રાદિ ઇકિયોના ધર્મો દશ્ય હોવાથી ધર્મિરૂપ નેત્રાદિ ઇદિ પણ દશ્યજ છે; સંકલ્પવિકલ્પરૂપ ધર્મવાળું મન, નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ, તથા ક્રિયાશક્તિવાળે પ્રાણ પણ દશ્ય હોવાથી આત્મા (હું) નથી એમ નક્કી કરી૧૭.
૨૦.