________________
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર.
૩૦૩
પણુથી તું ત્રણે કાલમાં બાધ પામ્યા વિના રહેનાર છે, છતાં તું તારા પ્રસિદ્ધ સ્વરૂપને કેમ જાણતા નથી? ૧૧.
કહેલા સ્વરૂપમાં સંશયરહિત જ્ઞાનના ઉપાયને ઉપદેશ કરે છે – सत्यानंदस्वरूपं धीसाक्षिणं बोधविग्रहम् । चिंतयात्मतया नित्यं त्यक्त्वा देहादिगां धियम् ॥ १२ ॥
દેહાદિને વિષય કરનારી બુદ્ધિને ત્યાગ કરીને સત્યસ્વરૂપ, આનંદસ્વરૂપ, બુદ્ધિના સાક્ષી, ને ચેતનસ્વરૂપને નિરંતર આત્મપણુવડે ચિંતન કર.
દેહ, ઈદ્રિયે, અંતઃકરણ, પ્રાણુ, અવિધાનો અંશ, ને ચિદાભાસ (જીવ) એ સર્વમાંથી તું આત્માની (હુંપણની) બુદ્ધિને પરિત્યાગ કરીને સત્યરૂપ, પરમાનંદરૂ૫, બુદ્ધિ આદિના સાક્ષી, ને ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્માને નિરંતર તું હુંપણવડે વિચાર્યા કર. એજ તારું વાસ્તવિક સ્વરૂપ છે. ર.
દેહાદિમાં હુંપણાની બુદ્ધિ ચિરકાલથી રૂઢ થઈ ગઈ છે તેને કેમ પરિત્યાગ થઈ શકશે? એવા શિષ્યના અંતઃકરણના અભિપ્રાયને જાણીને દેહાદિના અનાત્મપણાના દર્શનવડે તેમાં રહેલી હુંપણુની બુદ્ધિ દૂર થઈ શકે છે એમ માનીને તેના ત્યાગમાટે શિષ્યને દેહાદિનું અનાત્મપણું દેખાડે છે:
रूपादिमान्यत: पिंडस्ततो नात्मा घटादिवत् । वियदादिमहाभूतविकारत्वाञ्च कुंभवत् ॥ १३ ॥
જેથી સ્થૂલશરીર રૂપાદિવાળું છે, તેથી [ H] ઘટાદિની પેઠે અનાત્મા (આત્માથી ભિન્ન–જડ) [ ;] અને આકાશાદિ મહાભૂતના કાર્યપણાથી [ પણ તે] ઘટની પેઠે [અનાત્મા છે.] ૧૩.