________________
૩૦૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
મુમુક્ષનું દુર્લભપણું જાણી સદ્ગુરુ શિષ્યના તે પ્રશ્નથી ઉદેગ નહિ પામતાં તેના પ્રશ્નને અનુમોદન આપે છે –
सत्यमाह भवानत्र विगानं नैव विद्यते । हेतुः पदार्थबोधो हि वाक्यार्थावगतेरिह ॥ १० ॥
તું સત્ય કહે છે. અહિં વિવાદ વિદ્યમાન નથી જ. અહિં વાક્યર્થના જ્ઞાનનું કારણ પદાર્થનું જ્ઞાન જ [ છે.]
સદગુરુ કહે છેઃ–હે પુત્ર ! તું સત્ય કહે છે. પદાર્થના જ્ઞાનવિના વાક્ષાર્થનું જ્ઞાન કદીપણ ન થાય આ તારા કથનમાં કાઈનો લેશ પણ વિવાદ નથી, આ વાત સો સ્વીકારે છે. આ મહાવાક્યમાં પણ વાયાર્થીને જ્ઞાનનું કારણ તે વાક્યમાં આવેલાં પદોના અર્થોનું જ્ઞાન જ છે. ૧૦.
વાક્યના અર્થના જ્ઞાનમાં પદના અર્થનું જ્ઞાન હેતુભૂત હોવાથી “તારવામાં મહાવાક્યમાંના તત પદને સર્વ પદના અર્થનું હવે નિરૂપણ કરવું જોઈએ. તેમાં પ્રથમ પ્રસિદ્ધ વે પદના અર્થનું નિરૂપણ નીચેના સત્તર લેકવડે કરે છે –
अंतःकरणतद्वत्तिसाक्षी चैतन्यविग्रहः । आनंदरूपः सत्यः सन् किं नात्मानं प्रपद्यसे ॥ ११ ॥
અંત:કરણ ને તેની વૃત્તિને સાક્ષી, ચેતનસ્વરૂપવાળે, આનદરૂપ [ને] સત્ય છતાં કેમ પિતાને જાણતા નથી ?
હે સેમ્ય! તું બુદ્ધિ ને તેની વૃત્તિરૂપ મનને તથા દેહાદિ સર્વને સદા સાક્ષી છે; તું અખંડજ્ઞાનસ્વરૂપવાળે એટલે સ્વયંપ્રકાશ છે; તારા આનંદસ્વભાવથી જ તને આનંદનું ભાન થાય છે, તેથી તું પરમાનંદસ્વરૂપ છે અને નિરવયવપણા વડે રૂપરસાદિથી રહિતપણથી, ક્રિયાઓના આશ્રયપણુના અભાવથી, ને પભાવવિકારથી રહિત