________________
૨૮૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. દુઃખનું બહુપણું જોઈ આ લોકના વિષયોમાં તથા સ્વર્ગાદિના વિષયેમાં તૃષ્ણરહિત થયેલા મનવાળો, અને સમાદિ છ સંપત્તિ તથા મુમુક્ષતાવડે યુક્ત અંતઃકરણવાળો કોઈ નિરભિમાની જિજ્ઞાસુ, કઈ વેદાંતશાસ્ત્રને જાણનારા, યુક્તિઓ વડે જિજ્ઞાસુના મનને સંશયરહિત કરવાના સામર્થ્યવાળા, ને બ્રહ્મના દઢ અનુભવવાળા શ્રી સદગુરુને પ્રણામ કરી, તેમનું શરણ ગ્રહણ કરી, તેમની પરમપ્રેમથી સેવા કરી, પછી કોઈ અનુકૂલ સમયે તેઓશ્રીને પૂછે છે. ૩.
તે શિષ્ય પિતાના ગુરુને શું પૂછે છે એમ જાણવાની ઈચ્છા થાય તો તેના સમાધાનમાં બંધની નિવૃત્તિનું સાધન પૂછે છે, એમ કહે છે –
अनायासेन येनास्मान्मुच्येयं भवबंधनात् । तन्मे संक्षिप्य भगवन्केवलं कृपया वद ॥४॥
પરિશ્રમરહિત જેવડે આ સંસારરૂપ બંધનથી મેકળે થઉં તે સંક્ષેપ કરીને હે ભગવન્ ! મને કેવલ કૃપાવડે કહે.
જેમાં શરીર, ઈદ્રિ ને અંતઃકરણને બહુ શ્રમ ન આપવો પડે એવા પ્રાયશઃ પરિશ્રમરહિત જે સાધન વડે આ સંસારરૂપ કારાગારમાં બંધન પામેલે હું આ સંસારરૂપ દુઃખમય બંધનથી મોકળ થવું તે સાધન અતિવિસ્તારવિના સંક્ષેપથી હે ભગવન! મને કેવલ દયાવડે કહે. શુદ્ધાત્માને ત્રણે કાલમાં બંધનને સંભવ નથી. ચિદાભાસમાં બંધનનું ભાન થાય છે, ને તે દુઃખમય લાગે છે. તે કલ્પિત છતાં પણ દુઃખાનુભવ કરાવે છે. કલ્પિત પણ દુઃખાનુભવ કરાવી શકે છે એ આપણે દોરડીમાં બ્રાંતિથી પ્રતીત થતા સર્પથી પાછા ભાગવું, પગ ભાંગવો, ભય ને કંપ થાય છે, તેથી જાણીએ છીએ. હે ભગવન !