________________
૨૮૫
-
~
* બકવા ” કે અમતિ થાય છે આ યુતિમાન
શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તોત્ર. રૂ૫૫ણાથી માતા અથવા પિતા નથી, દેવે નથી, લેકે નથી, વેદ નથી, યો નથી, [ને ] તીર્થ નથી, [ એમ ] કહે છે, તેથી એક, અવશિષ્ટ, કેવલ શિવ હું [છું.]
__“अत्र पितापिता भवति मातामाता देवा अदेवा वेदा અા યજ્ઞા મથશ: ” (દેહાભિમાનની નિવૃત્તિ થઈ જવાથી સુષુપ્તિમાં પિતા અપિતા થાય છે, માતા અમાતા થાય છે, દેવ અદે થાય છે. વેદ અવદો થાય છે, ને યા અયજ્ઞો થાય છે.) આ કૃતિમાં સુષુપ્તવિષે આત્મા સુધાદિ સંસારના સર્વ ધર્મોને દૂર કરીને અદિતીયબ્રહ્મરૂપ અતિશરૂ૫૫ણને પામે છે, એમ કહ્યું છે, તેથી તે અવસ્થામાં દેહાભિમાનની નિવૃત્તિ થવાથી પિતાના શરીરની માના તથા પિતાના સંબંધના અભાવથી તેમનું અવિધમાનપણું જણાય છે. ત્યાં આરાધન કરવાગ્ય હરિહરાદિ દેવો પણ પ્રતીત થતા નથી, સ્વર્ગાદિ લોકો પણ ત્યાં પ્રતીત થતા નથી, અલોકિક હિતાહિતના સાધનપણાનું પ્રતિપાદન કરનારાં તથા બ્રહ્મનું પ્રતિપાદન કરનારાં પ્રમાણુવારૂપ વેદ પણ ત્યાં નથી, સ્વર્ગાદિના સાધનભૂત તિષ્યોમાદિ ય પણ ત્યાં વિદ્યભાન નથી, અને યજ્ઞના સાધનરૂપ કુરુક્ષેત્રાદિદેશરૂપ તીર્થ પણ ત્યાં નથી. જેમ ત્યાં પુણ્યકર્મનાં સાધને પ્રતીત થતાં નથી, તેમ ત્યાં પાપકર્મનાં સાધને પણ પ્રતીત થતાં નથી. જ્યાં દેહાભિમાન હોય ત્યાં એ સર્વ હોવાનો સંભવ છે, પણ જ્યાં દેહાભિમાન ન હોય ત્યાં તેમાંનું કશું હોવા સંભવ નથી. જ્યારે સુષુપ્તિ અવસ્થામાં દેહાભિમાનના અભાવથી માતાદિની અપ્રતીતિ છે ત્યારે જ્ઞાનકાલમાં દેહાભિમાનના અત્યંત અભાવ હોવાથી તે કાલમાં માતાદિને સત્યપણાની પ્રતીતિ કયાંથી હોય? ન જ હેય. જ્ઞાનકાલમાં માત્ર નિરાવરણ આત્મસ્વરૂપનું જ સ્કુરણ હેય છે, તેથી તે કાલે હું અદિતીય, અબાધિત, સર્વસંગવિહીન ને પરમાનંદપ્રકાશરૂપ છું. ૩.