________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને.
અનાત્માના આશ્રયવાળા અહંમમરૂપે અધ્યાસની નિવૃ ત્તિથી મને વર્ષાં નથી, વર્ણ તથા આશ્રમના આચાર ને ધર્મા નથી, [ અને ] ધારણા, ધ્યાન ને ચેાગાદિ પણ નથી; તેથી એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું[Â. ]
અવિદ્યારૂપ ઉપાદાનકારણમાંથી ઉપજેલી દેહાદિમાં હુંપણાની અને દેહાદિના સંબંધવાળા પ્રાણિપદાર્થમાં મારાપણાની બ્રાંતિ તેના અવિદ્યારૂપ મૂલસાહત તત્ત્વજ્ઞાનવડે નાશ પામવાથી જ્ઞાન થયા પછી હુંપણાની તે મારાપણાની ભ્રાંતિ રહેતી નથી, તેથી અસંગાત્મરૂપ મારામાં બ્રાહ્મણાદિ વષૅ નથી; અને બ્રાહ્મણાદિ વર્ણના તથા બ્રહ્મચર્યાદિ આશ્રમેાના સ્નાનશાચારૂિપ આચાર, તે બ્રહ્મચર્ય તથા ગુરુસેવાદિરૂપ ધર્મો પણ મારામાં નથી. વળી મારા સ્વરૂપમાં બાહ્ય વિષયના ત્યાગવડે બ્રહ્મમાં મનની સ્થિરતારૂપ ધારણા નથી, બ્રહ્મમાં મનની વિશેષ સ્થિરતારૂપ ધ્યાન નથી, અને ચિત્તની વૃત્તિઓના નિરાધરૂપ ચાગ પણ નથી. યાગાદિમાંના આદિ શબ્દવડે મારા સ્વરૂપમાં શ્રવણ, મનન તે નિદિધ્યાસન પણ નથી. એમ જણાવ્યું છે. હું તે અદ્રિતીય, સર્વ દ્વૈતનેા બાધ થયા છતાં પણ બાધ નહિ પામેલા, કારણકાર્યના સંબંધથી રહિત તે પરમાનંદજ્ઞાનસ્વરૂપ છું. ૨.
મિથ્યાભિમાનથી વર્ણાશ્રમાદિ વ્યવહારની સિદ્ધિ છે, તે જો તે મિથ્યાભિમાનની નિવૃત્તિ થાય તે તે વર્ણાશ્રમાદિ વ્યવહારની પણ નિવૃત્તિ થાય છે, એ અર્થ સુષુપ્તિમાં થતી સ્થિતિને કહીને સમજાવે છેઃन मातापिता वा न देवा न लोका, न वेदा न यज्ञा न तीर्थ ब्रुवंति। सुषुप्तौ निरस्तातिशून्यास्तकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥ સુષુપ્તિમાં [ ક્ષુધાદિને ] નિરસ્ત [ કરીને ] અતિશૂન્ય
૨૮૪